માંગરોળના શેરિયાજ ગામે પ્રાથમિક શાળા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ તથા મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં શેરીયાજ ગામના ભાજપના આગેવાન જેઠાભાઈ ચુડાસમા, દાનભાઈ ખાંભલા તથા અન્ય આગેવાનો ગ્રામ જનો ઉપરાંત શાળા પરિવાર, આરોગ્ય સ્ટાફ, પીજીવિસીએલ સ્ટાફ, રેવન્યુ સ્ટાફ એ હાજરી આપી. આ કાર્યક્રમ માં દીપ પ્રાગટ્ય, શીલા ફલકમ, વીર વંદન, વસુધા વંદન, પંચ પ્રાણ પ્રતિષ્ઠા, ધ્વજ વંદન તથા વૃક્ષા રોપણના કાર્યક્રમ નું સુચારુ આયોજન શાળા પરિવાર તથા વહીવટદાર શ્રી દ્વારા કરવામાં આવ્યું…..
વિનુભાઈ મેસવાણીયા માંગરોલ


