Gujarat

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે રાજ્ય સરકારનો એક મહત્વપૂર્ણ ર્નિણય

ગાંધીનગર
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પરિણામ આધારિત ગ્રાન્ટની નીતિ રદ કરી દીધી છે. જેના કારણે હવે ગ્રાન્ટેડ શાળાઓને ૧૦૦ ટકા ગ્રાન્ટ મળશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્મમિક શાળાઓને પૂરી ગ્રાન્ટ મળશે. અત્યાર સુધી શાળાઓને પરિણામ મુજબ ગ્રાન્ટ મળતી હતી. ધોરણ ૧૦ અને ૧૨ના પરિણામ પ્રમાણે ગ્રાન્ટ મળતી હતી. શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હીતમાં આ મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. રાજ્યમાં શાળાઓને બોર્ડના પરિણામ પર ગ્રાન્ટ મળતી હતી. બોર્ડમાં ધોરણ ૧૦ અને ૧૨નું ૩૦ ટકાથી ઓછુ પરિણામ આવે ત્યારે કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ મળતી ન હતી. જ્યારે ૩૦ થી ૪૦ ટકા પરિણામમાં મેળવતી શાળાઓને ૨૫ ટકા ગ્રાન્ટ મળતી હતી. તો ૪૦ થી ૫૦ ટકા પરિણામ મેળવતી શાળાઓને ૫૦ ટકા ગ્રાન્ટ મળતી હતી. તેમજ ૫૦ થી ૭૦ ટકા પરિણામ મેળવતી શાળાઓને ૭૫ ટકા ગ્રાન્ટ મળતી હતી. તો ૭૦ ટકા પરિણામ મેળવતી શાળાઓને ૧૦૦ ટકા ગ્રાન્ટ મળતી હતી. પરંતુ શાળાની ગ્રાન્ટ પરિણામના આધારે કાપ મુકવામાં નહી આવે.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *