Gujarat

ફ્લેગ ઑફિસર, ગુજરાત નેવલ એરિયા રિયર ઍડમિરલ અનિલ જગ્ગીની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શિષ્ટાચાર મુલાકાત

ગાંધીનગર,
ગુજરાત તથા દમણ અને દીવ નેવલ એરિયાના ફ્લેગ ઑફિસર રિયર ઍડમિરલ અનિલ જગ્ગીએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શિષ્ટાચાર મુલાકાત કરી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શુભકામનાઓ પાઠવતાં કહ્યું હતું કે, ભારતીય સેના પ્રત્યે તમામ ભારતીયો ગર્વ અને અભિમાનની લાગણી અનુભવે છે. નૌસેનાના જવાનોની ફરજ પડકારજનક અને તપસ્યાપૂર્ણ છે. તેમણે ભારતીય નૌસેનાના વિભિન્ન યુધ્ધ પોત વિશે પણ વિસ્તૃત વાત કરી હતી. રિયર ઍડમિરલ અનિલ જગ્ગીએ ગુજરાત તથા દીવ અને દમણ નેવલ એરિયાની કામગીરી સંદર્ભે વાત કરી હતી.

File-02-Page-Ex-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *