Gujarat

અમરેલી મુસ્લિમ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જલારામ બાપા ની શોભા યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું : કોમી એકતા ના દર્શન

સંત શ્રી શિરોમણી પુજનીય જલારામ બાપા ની જન્મ જ્યંતી નિમિતે અમરેલી શહેર ના મુખ્ય રાજમાર્ગ પરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં રઘુવંશી સમાજ ના લોકો એ હાજરી આપી હતી જયારે શોભાયાત્રા ટાવર ચોક પાસે પોહ્ચતા ત્યારે મુસ્લિમ મુસ્લિમ ચેમ્બર ઓફ કોમર્સ ના વેપારી ઓ દ્વારા ફૂલ ની પાંદડી ઓથી શોભાયાત્રા ને વધાવી હતી હિન્દૂ મુસ્લિમ એકતા નું પ્રતિક એટલે અમરેલી શહેર હમેંશ માટે તમામ ધર્મ ની રથયાત્રા નું હિન્દૂ મુસ્લિમ સન્માન કરે છે તેવીજ રીતે જલારામ બાપા ની રથયાત્રા નું સન્માન છેલ્લા પાંચ વર્ષ થી ટાવરના ચોકમાં મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા સન્માન કરવામાં આવે છે આમ અમરેલી શહેરમાં એકતા જોવા મળે છે

 

આ તકે રફીકભાઇ ચૌહાણ, ભાજપ લઘુમતી મોરચા ના પ્રમુખ રજાક કચરા, જાવેદખાન પઠાણ,અજીમ લાખાણી, હાતિમભાઇ ભારમલ, મમદીભાઈ ભારમલ,વસીમ ધાનાણી,અકબર શેખ, અકબર અન્સારી, અજુભાઈ ભારમલ અનેક વેપારી ઓ સહીત સ્વાગત કરવામાં આવ્યું

WhatsApp-Image-2021-11-12-at-12.25.37-AM.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *