Gujarat

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ન્યુમોનિયા રોગને કારણે ૨૦૦ બાળકોએ જીવ ગુમાવ્યો

ગરીબ પાકિસ્તાનની પરેશાનીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. છેલ્લા ૩ અઠવાડિયામાં, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં તીવ્ર ઠંડી અને ન્યુમોનિયાના કારણે ૨૦૦ થી વધુ બાળકોના મોત થયા છે. પંજાબની સરકારના જણાવ્યા અનુસાર, મૃત્યુ પામેલા મોટાભાગના બાળકોને ન્યુમોનિયા સામે રસી આપવામાં આવી ન હતી. તેઓ કુપોષિત હતા અને સ્તનપાનના અભાવે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હતી. ખરાબ હવામાનને કારણે સરકારે ૩૧ જાન્યુઆરી સુધી રાજ્યભરની શાળાઓમાં મોર્નિંગ એસેમ્બલી યોજવા પર પહેલેથી જ પ્રતિબંધ મૂક્યો છે. પ્રાંતમાં ૧ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ન્યુમોનિયાના કુલ ૧૦,૫૨૦ કેસ નોંધાયા છે, જેમાંથી ૨૨૦ બાળકોના મોત થયા છે.

મૃત્યુ પામેલા બાળકોની ઉંમર ૫ વર્ષથી ઓછી હતી. તેમાંથી ૪૭ લોકોના મોત પંજાબની પ્રાંતીય રાજધાની લાહોરમાં થયા છે. પાકિસ્તાન પંજાબની સરકારનું કહેવું છે કે આમાંથી મોટી સંખ્યામાં બાળકોને ન્યુમોનિયા સામે રસી આપવામાં આવી ન હતી અને તેઓ કુપોષિત હતા. સરકારના જણાવ્યા અનુસાર, સ્તનપાનના અભાવે તેની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હતી. ન્યુમોનિયાના વધતા જતા કેસોને જાેતા સરકારે હોસ્પિટલોમાં વ્યવસ્થા વધારવા અને નાના બાળકો માટે સુવિધાઓ વધારવાના નિર્દેશ આપ્યા છે. સ્વાસ્થ્યની સલાહ આપતા ડિરેક્ટરે કહ્યું કે, વાયરલ ન્યુમોનિયાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને બાળકો પર તેની અસરને ઝડપથી ઘટાડવાની જરૂર છે. આ માટે બાળકોને ચહેરા પર માસ્ક પહેરવા, હાથની સ્વચ્છતા અપનાવવા અને ગરમ કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે.

આ ઉપરાંત, બાળકોને ન્યુમોનિયા થાય તો તેને તાત્કાલિક વરિષ્ઠ ડોકટરોને બતાવવા માટે પણ વિનંતી કરવામાં આવી છે. પાકિસ્તાનના પંજાબમાં રસીકરણ અભિયાનના નિર્દેશક મુખ્તાર અહેમદે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં જન્મેલા બાળકોને સામાન્ય રીતે જન્મના ૬ અઠવાડિયા પછી ન્યુમોનિયા વિરોધી રસી આપવામાં આવે છે. સરકાર દરેક બાળકની ઉંમર ૨ વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધીમાં તેને વિવિધ રોગો સામે ૧૨ રસી આપવાનો પ્રયાસ કરે છે.

તેમાંથી બાળકોને ન્યુમોનિયાથી બચાવવા માટે ૩ રસી આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પાકિસ્તાની પંજાબી પ્રાંતમાં ન્યુમોનિયાના કારણે ૯૯૦ બાળકોના જીવ ગયા હતા. મુખ્તાર અહેમદે જણાવ્યું હતું કે આ નિવારક પગલાંનો હેતુ બાળકોમાં ન્યુમોનિયાના કેસોની સંખ્યામાં ઘટાડો અને પરિસ્થિતિને નિયંત્રિત કરવાનો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે જ્યારે હવામાન સુધરશે ત્યારે ઠંડી ઓછી થઈ જશે અને પછી બાળકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થવા લાગશે.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *