Gujarat

મહારાષ્ટ્રમાં બીજેપી નેતા પંકજા મુંડેએ પોતાની ઉમેદવારી અંગે નિવેદન આપ્યું

મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ૨૭ ફેબ્રુઆરીએ ૧૯ સીટોવાળા આ રાજ્યમાં ૬ બેઠક માટેની ચૂંટણી યોજાશે. ભાજપ પાસે તેમાંથી ત્રણ બેઠકો જીતવા માટે પૂરતુ સંખ્યાબળ છે. આથી આ ત્રણેય બેઠકો પર કોને ઉમેદવાર બનાવવામાં આવશે તે અંગે ભાજપમાં મંથન ચાલી રહ્યું છે. જ્યારથી રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી, ભાજપના નેતા પંકજા મુંડે સહીતના એક પછી એક નામનો ઉલ્લેખ થઈ રહ્યો છે. આ ચર્ચાઓ વચ્ચે હવે પંકજા મુંડેએ પ્રતિક્રિયા આપી છે. પંકજા મુંડેએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં જ્યારે પણ કોઈ ચૂંટણી થાય છે ત્યારે તેના ઉમેદવારોના નામની ચર્ચા ચોક્કસ થાય છે. પંકજા મુંડેએ કહ્યું છે કે આવી ચર્ચા થવી સ્વાભાવિક છે. તેના પર તેણીને પૂછવામાં આવ્યું કે શું તે લોકસભા કે રાજ્યસભાની ચૂંટણી લડવા માંગે છે. પંકજાએ જવાબ આપ્યો કે આ બધું નક્કી કરવાનો સમય પસાર થઈ ગયો છે. ખૂબ મોડું થઈ ગયું છે.

મહારાષ્ટ્રમાં ૩ પક્ષોની સરકાર બન્યા બાદ મારા માટે કોઈ મતવિસ્તાર હવે બચ્યો નથી. હવે મહત્ત્વની બાબત એ છે કે બીડ અને રાજ્યના અન્ય ભાગોમાં તેમના સમર્થકો શું વિચારે છે અને તેઓ તેમને ક્યાં જાેવા માંગે છે. તેણે કહ્યું, “જાે તેઓ મને ત્યાં જાેશે તો તે મોટી વાત હશે. પંકજા મુંડે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સચિવ છે. ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં પંકજા મુંડેને પરલી સીટ પર હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી પંકજા મહારાષ્ટ્રના રાજકારણમાંથી બહાર ફેંકાઈ ગયા. રાજ્યસભા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન પંકજા મુંડે ઉમેદવાર હશે તેવી ચર્ચા હતી પરંતુ તેમ થઈ શક્યું નહીં. દરમિયાન એવી ચર્ચા છે કે મહારાષ્ટ્ર ભાજપ દ્વારા નવ નેતાઓની યાદી દિલ્હી મોકલવામાં આવી છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પૂછવામાં આવ્યું કે શું પંકજાને રાજ્યસભામાં જવાની તક આપવામાં આવશે? આના પર ફડણવીસે કહ્યું કે અમારા વરિષ્ઠ નક્કી કરે છે કે કોણ રાજ્યસભામાં જશે અને કોણ નહીં. કેન્દ્રીય પક્ષ આ અંગે ર્નિણય લેશે.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *