૨૨૪ દર્દીઓનેત્રયજ્ઞ, દંતયજ્ઞ, તથા સર્વરોગ સારવાર કેમ્પનો લાભ લીધો પૈકી ૪૯ દર્દીઓને ફેકોમશીન દ્વારા વિનામૂલ્યે ઓપરેશન કરાયા
અવિરત સેવાકાર્યો કરનાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા તાજેતરમાં ૨૬૪ મો વિનામૂલ્યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પ યોજાયો હતો. જેમાં શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, જીલ્લા અંધત્વ નિવારણ સમિતિ અમરેલી, નિયામક શ્રી આયુષ – ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત અમરેલી, તથા સરકારી આયુર્વેદ દવાખાનું – ચાડીયા તથા સરકારી હોમીયોપોથી દવાખાનું – સાવરકુંડલાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ કેમ્પમાં નિષ્ણાંત ડોકટરોની ટીમે સેવા આપી હતી.
આ કેમ્પનો શુભારંભ મંગલ દિપપ્રગટ્યથી થયો હતો આ પ્રસંગે સંસ્થાના વડા પૂ. રતિદાદા તથા ડોકટરશ્રી ઓ દ્વારા દિપ પ્રગટ્ય કરવામાં આવ્યું હતું.
શ્રી રતિદાદાએ બધાને સારૂ થઇ જાય પછી બીજાનું ભલું કરવું તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. સાથે વ્યાસન મુક્ત રહેવું, સત્યનું પાલન કરવું અને બધા સાથે હળી-મળીને રહેવું. જયશ્રીબેન કાચલીયા – નાસિકના આર્થીક સહયોગથી શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ – રાજકોટ અને જીલ્લા અંધત્વ નિવારણ સમિતિ અમરેલીના સહયોગથી આ નેત્રયજ્ઞમાં આંખના દર્દીઓની ચકાસણી કરવામાં આવી હતી. જે પૈકી ૪૯ દર્દીઓને શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ ખાતે લઇ જઈ અને કેફોમશીન દ્વારા ઓપરેશન કરી નેત્રમણી પણ વિનામૂલ્યે બેસાડવામાં આવી હતી. દંતયજ્ઞમાં ડો.અવનીબેન દ્વારા અનેક દર્દીઓને દાંત કાઢી ચાંદી પણ વિનામૂલ્યે પૂરી આપવામાં આવી.
આયુર્વેદિક કેમ્પમાં ડો. હેતલબેન, આરતીબેને બધા દર્દીઓને તપાસ કરી દવાપણ વિનામૂલ્યે આપવામાં આવી હતી.દીકરીઓ માટે હરિબા મહિલા આર્ટસ, કોમર્સ, બી.સી.એ. અને સપોર્ટસ કોલેજ ચાલુ છે જેનું પ્રવેશ કાર્ય શરુ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા મહેશભાઈ, મંજુબા તથા શીતલબેન વગેરે ખુબ જહેમત ઉઠાવી હતી.

