દેશમાં યોજાનારી લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે રાજકીય પક્ષો તેમજ જનતાની રાહનો અંત આવ્યો છે. ગત વખતની જેમ આ વખતે પણ સાત તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન ૧૯ એપ્રિલે થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન ૧ જૂને થશે. ચૂંટણીના પરિણામો ૪ જૂને જાહેર થશે.
કેરળમાં બીજા તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે. અહીં ૨૬મી એપ્રિલે મતદાન થશે. તામિલનાડુમાં ૧૯મી એપ્રિલે મતદાન થશે. હવે ૈંેંસ્ન્ સહિત અન્ય કેટલાક મુસ્લિમ સંગઠનોએ આ મામલે વાંધો વ્યક્ત કર્યો છે. વાસ્તવમાં ૧૯મી એપ્રિલ અને ૨૬મી એપ્રિલ બંને શુક્રવાર આવી રહ્યા છે. આ દિવસ દરેક મુસ્લિમ માટે મહત્વપૂર્ણ છે. આ દિવસે દરેક વ્યક્તિ નમાઝ અદા કરે છે. આવી સ્થિતિમાં શુક્રવારે યોજાનારી ચૂંટણીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ જ કારણ છે કે મુસ્લિમ સંગઠનો ચૂંટણીની તારીખ બદલવાની માંગ કરી રહ્યા છે.
ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (ૈંેંસ્ન્)નું કહેવું છે કે તેઓ ઈચ્છે છે કે ચૂંટણીની તારીખ બદલીને કોઈ અન્ય તારીખ કરવામાં આવે. આ માટે તેઓ ભારતીય ચૂંટણી પંચ (ઈઝ્રૈં)નો સંપર્ક કરશે. IUML અનુસાર, શુક્રવારે ચૂંટણી યોજવાથી મતદારો, અધિકારીઓ અને ઉમેદવારોને ઘણી અસુવિધા થાય છે કારણ કે શુક્રવાર મુસ્લિમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે.
IUMLસ્ન્ના રાજ્ય મહાસચિવ પીએમ એ સલામનું કહેવું છે કે શુક્રવારે મતદાન કરવાથી મતદારો, ઉમેદવારો, પોલિંગ એજન્ટો અને ચૂંટણી ફરજ પર નિયુક્ત અધિકારીઓને અસુવિધા થશે. રાજ્યના જનરલ સેક્રેટરીએ કહ્યું કેI UML તારીખ બદલવાની માંગણી સાથે ઈઝ્રૈંનો સંપર્ક કરશે.IUML ઉપરાંત, અન્ય સંસ્થાઓ પણ તારીખમાં ફેરફારની માગણી સાથે ચૂંટણી પંચનો સંપર્ક કરવાની યોજના બનાવી રહી છે.
તમને જણાવી દઈએ કે કેરળની ૨૦ સીટો પર ૨૬ એપ્રિલના રોજ એક જ દિવસે ચૂંટણી યોજાવા
જઈ રહી છે. જેમાંથી ૧૮ બેઠકો જનરલ કેટેગરીની છે જ્યારે ૨ બેઠકો અનામત છે. તમિલનાડુમાં પ્રથમ તબક્કામાં ૧૯મી એપ્રિલે ચૂંટણી યોજાવાની છે. અહીં એક જ દિવસે ૩૯ બેઠકો પર મતદાન થશે. તમિલનાડુમાં ૩૯ બેઠકોમાંથી ૭ અનામત બેઠકો છે.

