ઈરાન ઈઝરાયેલ પાસેથી બદલો લેવાની આતુરતાથી રાહ જાેઈ રહ્યું છે. આ માટે ઈરાને ઈઝરાયેલને ઘણી વખત ચેતવણી આપી છે. ઈરાન પર ઈઝરાયેલના હુમલા બાદથી ઈઝરાયેલ પર હુમલાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈદ પૂરી થતા જ ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરશે.ઈરાનના જાેઈન્ટ ચીફ ઓફ સ્ટાફ જનરલ મોહમ્મદ બઘેરીએ ઈઝરાયેલથી બદલો લેવાની જાહેરાત કરી હતી.
ઈસ્લામનો પવિત્ર મહિનો રમઝાન સમાપ્ત થઈ ગયો છે અને અન્ય દેશો હુમલાની ઈરાનની તૈયારીઓને ધ્યાનમાં રાખીને તારીખનો અંદાજ લગાવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાને ઈદ પછી એટલે કે ૧૨ એપ્રિલ પછી ઈઝરાયેલ પર હુમલો કરવાની પૂરી તૈયારી કરી લીધી છે. ૧ એપ્રિલે ઈઝરાયેલે સીરિયામાં ઈરાની દૂતાવાસ પર હવાઈ હુમલો કર્યો હતો, ત્યારબાદ ઈરાન ઈઝરાયેલ પર ૭ ઓક્ટોબર પ્રકારના હુમલાની રાહ જાેઈ રહ્યું છે.
તાજેતરમાં, ઇરાનમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચલાવતી જર્મન એરલાઇન્સે પણ તેહરાન જતી અને પરત આવતી તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈરાની ન્યૂઝ એજન્સીએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક રિપોર્ટ જાહેર કર્યો હતો, આ રિપોર્ટમાં લખવામાં આવ્યું હતું કે તેહરાનના તમામ એરફિલ્ડને મિલિટરી ડ્રિલ માટે બંધ કરી દેવામાં આવ્યા છે, પરંતુ તેના થોડા સમય બાદ એજન્સીએ આ પોસ્ટને હટાવી દીધી છે. જ્યારે આ પોસ્ટ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે સમાચાર એજન્સીએ આવા કોઈ સમાચાર પોસ્ટ કરવાનો ઇનકાર કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ઈરાને ઈઝરાયેલ પર હુમલો કરવાની સંપૂર્ણ યોજના બનાવી છે અને બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે.
આ બ્લુપ્રિન્ટ મુજબ ઈરાન હુમલા પહેલા ઈઝરાયલને ચારે બાજુથી ઘેરવાની યોજના બનાવી રહ્યું છે. ઘેરાબંધી પછી, હમાસ, હુથી, હિઝબુલ્લાહ અને અન્ય ઈરાની પ્રોક્સી સંગઠનો સાથે મળીને ઈઝરાયેલ પર હુમલો કરશે. આ સિવાય તેને ભૂમધ્ય સમુદ્રથી લઈને લાલ સમુદ્ર સુધી ઘેરી લેવામાં આવશે.ઘેરાઈને ઈઝરાયેલના તમામ સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરવાની અને લાલ સમુદ્રમાં ટાસ્ક ફોર્સને બહાર કાઢવાની તૈયારીઓ છે.
ઈરાન પણ ઈઝરાયેલ પર તેની ૯ શ્રેષ્ઠ મિસાઈલો છોડવાની રાહ જાેઈ રહ્યું છે. આ તમામ ચેતવણીઓ વચ્ચે ઈઝરાયેલના રક્ષા મંત્રી યોવ ગાલેટે કહ્યું કે ઈરાન સાથે ઉભી થનારી કોઈપણ પરિસ્થિતિને સંભાળવા માટે ઈઝરાયેલ તૈયાર છે. ઈરાન પર ઈઝરાયેલના હુમલામાં ૨ ઈરાની કમાન્ડર અને ૭ અન્ય લોકો માર્યા ગયા હતા.
ઈરાનના સર્વોચ્ચ નેતા ખમેનીએ કહ્યું છે કે તેહરાન એ તારીખને યાદ રાખશે જ્યારે ઈરાન ઈઝરાયેલ સામે બદલો લેશે અને આ યુદ્ધનો અંત લાવશે. સ્થિતિની ગંભીરતાને જાેઈને ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ ઈમરજન્સી બેઠક બોલાવી હતી, એટલું જ નહીં ઈરાની હુમલાને લઈને ઈઝરાયેલની સાથે સાથે અમેરિકામાં પણ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

