Gujarat

વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈઝરાયેલ કાત્ઝ અને ઈરાનના સમકક્ષ હોસેન અમીર-અબ્દોલ્લાહિયન સાથે ટેલિફોન પર વાત કરી હતી

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે દુનિયામાં ત્રીજા વિશ્વ યુદ્ધના અવાજાે સંભળાઈ રહ્યા છે. દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે રવિવારે તેમના ઈઝરાયેલ સમકક્ષ ઈઝરાયેલ કાત્ઝ અને ઈરાની સમકક્ષ હોસેન અમીર-અબ્દુલ્લાયાન સાથે ટેલિફોન પર વાત કરી હતી. તમને જણાવી દઈએ કે ઈરાને ૧ એપ્રિલના રોજ દમાસ્કસમાં તેના વાણિજ્ય દૂતાવાસ પર ઈઝરાયેલના સંદિગ્ધ હવાઈ હુમલામાં બે જનરલ સહિત સાત ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડના જવાનોના મોત થયાની ઘટનાના જવાબમાં શનિવારે મોડી રાત્રે ઈઝરાયેલ પર સેંકડો ડ્રોન અને મિસાઈલ છોડ્યા હતા.

શનિવારના રોજ, ઈરાનની સેનાએ હોર્મુઝની સ્ટ્રેટ નજીક ઈઝરાયેલ સાથે જાેડાયેલા એક માલવાહક જહાજને કબજે કર્યું હતું. જહાજમાં ૧૭ ભારતીય ક્રૂ મેમ્બર સવાર હતા. પોર્ટુગીઝ-ધ્વજવાળા જહાજ સ્જીઝ્ર છિૈીજ પર સવાર ભારતીયોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે ભારત ઈરાન સાથે સંપર્કમાં છે. વિદેશ પ્રધાન જયશંકરે રવિવારે તેમના ઈરાનના સમકક્ષ હુસૈન અમીર-અબ્દુલ્લાયાન સાથે વાત કરી અને પોર્ટુગીઝ-ધ્વજવાળા કાર્ગો જહાજમાં સવાર ૧૭ ભારતીય નાગરિકોને મુક્ત કરવાની માંગ કરી. ફોન પર વાતચીત દરમિયાન, જયશંકરે ઈરાન-ઈઝરાયેલ દુશ્મનાવટના સંદર્ભમાં વધતા તણાવને ટાળવા, સંયમ રાખવા અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાનું આહ્વાન કર્યું હતું.

જયશંકરે ‘ઠ’ પર કહ્યું કે તેમણે ઈરાનના વિદેશ મંત્રી સાથે વાત કરી છે. એમએસસી મેષના ૧૭ ભારતીય ક્રૂ સભ્યોને મુક્ત કરવાનો મુદ્દો ઉઠાવ્યો. એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું, હમણાં જ ઈઝરાયેલના વિદેશ મંત્રી ઈઝરાયેલ કાત્ઝ સાથે વાતચીત થઈ.

મેં શનિવારના વિકાસ પર મારી ચિંતા શેર કરી. વ્યાપક પ્રાદેશિક પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી અને સંપર્કમાં રહેવા સંમત થયા. ભારતે આ ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરી હતી અને તાત્કાલિક તણાવ ઓછો કરવાની અપીલ કરી હતી. ભારતે કહ્યું કે આ ક્ષેત્રમાં તેના દૂતાવાસો ભારતીય સમુદાયના સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતી દુશ્મનાવટથી ખૂબ જ ચિંતિત છીએ. આ વિસ્તારની શાંતિ અને સુરક્ષાને જાેખમમાં મૂકે છે.