આ ઘટનાનો આરોપ યુક્રેન પર લગાવવામાં આવી રહ્યો છે
રશિયામાં એક મોટી ઘટના બનવા પામી હતી જેમાં, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સાઇબિરીયામાં અલ્તાઇ પર્વત પર ઘર આવેલું છે જે આગ લાગવાના કારણે બળીને ખાખ થઈ ગયું હતું. રાષ્ટ્રપતિ ના ઘરમાં આગ કેવી રીતે લાગી તે એક રહસ્ય છે કારણકે આગ લગવાનું કારણ હજી સુધી જાણી શકયું નથી. પરંતુ દોષ યુક્રેન પર નાખવામાં આવી રહ્યો છે.
આ એ જ ઘર છે જ્યાં પુતિને ઈટાલીના પૂર્વ વડાપ્રધાન સિલ્વિયો બર્લુસ્કોનીનું આયોજન કર્યું હતું. કહેવાય છે કે આ ઘરમાં ગુપ્ત છૂપાવવાની જગ્યા પણ છે. પુતિન અહીં મેડિસિનલ બાથ લતા હતા. આ સમગ્ર કેમ્પસ સત્તાવાર રીતે ગેઝપ્રોમની માલિકીનું છે. જે રશિયામાં ઘણા વૈભવી મહેલોની સંભાળ રાખે છે.
ઘરની અંદર લાગેલી આગને કારણે કેટલું નુકસાન થયું છે તે જાણવા મળ્યું નથી, પરંતુ આગ ખૂબ જ ડરામણી હતી. પરંતુ કેટલાક લોકો માને છે કે યુક્રેન દ્વારા જ આ કામ કરવામાં આવ્યું હોઈ શકે છે કારણ કે રશિયાએ યુક્રેનમાં ભારે તબાહી મચાવી છે. ઘર સળગાવવાના સમાચાર સૌપ્રથમ એક બ્લોગરે આપ્યા હતા. રશિયન મીડિયા દ્વારા સત્તાવાર નિવેદન મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ પુતિનની ટીમ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.
સાઇબિરીયામાં અલ્તાઇ પર્વત પર આવેલા રાષ્ટ્રપતિનું ઘર ખૂબ જ સુરક્ષિત છે. અહીં કોઈ સામાન્ય રશિયન નાગરિક જઈ શકે નહીં. તેની આસપાસ ભારે સુરક્ષા છે. પુતિનનો આ મહેલ અલ્તાઇ રિપબ્લિકના ઓન્ગુડેસ્કી જિલ્લામાં છે. મંગોલિયા, ચીન અને કઝાકિસ્તાન નજીકમાં છે. આ જગ્યાએ અને તેની આસપાસ ઘણા વેન્ટિલેશન પોઈન્ટ છે.
આ સિવાય ૧૧૦ કિલોવોલ્ટનું અતિ આધુનિક સબસ્ટેશન છે. આમ છતાં પુતિનના ઘરમાં આગ કેમ લાગી તે કોઈ સમજી શક્યું નથી. પુતિન અને તેમના પરિવારને સુરક્ષિત રાખવા માટે આ જગ્યાએ એક હાઈટેક બંકર પણ બનાવવામાં આવ્યું છે, જેથી તેઓ પરમાણુ યુદ્ધ દરમિયાન સુરક્ષિત રહી શકે.

