Gujarat

માંગરોળ ના લોએજ ગામે  ડો.વેજાભાઈ ચાંડેરાની જન્મ દિવસની ઉજવણી ત્રિવિધ કાયૅક્રમો દ્વારા કરવામા આવેલ

વિ. એમ. સી. મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પીટલના સંસ્થાપક ડો.વેજાભાઇ મસરીભાઈ ચાંડેરા કન્વીનર જુનાગઢ જિલ્લા ભાજપ શિક્ષક સેલ અને સ્થાપક/ સંચાલકશ્રી શ્રીમતી વી.એમ.ચાંડેરા શૈક્ષણિક સંકુલ લોએજ/ દિવરાણા ( ધાર ) તા.માંગરોળ જિ.જનાગઢનો જન્મ દિવસની ઉજવણી ત્રિવિધ કાયૅક્રમો દ્વારા કરવામાં આવી. જેમાં રાહતદરે થેલેસેમીયા ટેસ્ટ કેમ્પ ,તેમજ પયૉવરણની જાગૃતિ માટે एक पेड मां के नाम  વૃક્ષારોપણ વેજીમાં દ્વારા કરવામાં  આવ્યું.એમ્બ્યુલન્સનુ લોકાર્પણ શામજીભાઇ દુધાત્રાના હસ્તે કરવામાં આવ્યુ.
 કાયૅક્રમની શરૂઆત લોએજ સ્વામીનારાયણ મંદિરના કોઠારી સ્વામી મુક્તસ્વરૂપ દાસજી સાથે માતુશ્રી વેજીમાં સાથે પધારેલ મહેમાનો દ્વારા દિપપ્રાગટય કરીને કરવામાં આવી.
   આ ઉપરાંત મુખ્ય મહેમાનોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી જુનાગઢ વિભાગના મા.સંઘચાલક શામજીભાઇ દુધાત્રા, જુનાગઢ વિભાગ કાર્યવાહ જીતુભાઇ સાલસીયા, બાબુભાઇ વાજા , ગોવિંદભાઈ ચોચા (એડવોકેટ) જિલ્લા અધ્યક્ષ ભારતીય કિસાન સંઘ જૂનાગઢ,ધર્મ સંસ્કૃતિને વરેલા સામાજીક અગ્રણીઓમાં મસરીભાઇ બામરોટીયા , નાથાભાઇ નંદાણીયા , વિનુબેન નંદાણીયા , મંજુબેન ચાંડેરા સહીત અગ્રણી બહેનો ,ખેડુત અગ્રણી અરજનભાઇ નંદાણિયા ,કાનાભાઇ વાળા, માલદેભાઇ ચાંડેરા , હમીરભાઇ બામરોટીયા ,રામભાઈ બામરોટિયા, ગોવિંદભાઇ નંદાણીયા, સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ , અરજનભાઇ નંદાણીયા, ભુદેવોમાં લલિતભાઇ અધ્યારુ અને તેમની ટીમ , અજયભાઇ ગોરબાપા, નિવૃત કર્મચારી રામભાઇ નંદાણીયા, ફોજી નારણભાઇ બામરોટીયા તેમજ આજુબાજુ વિસ્તારના ખુબ જ મોટી સંખ્યામાં વડીલો અને યુવા આગેવાનો માતાઓ-બહેનો અને સંસ્થાના તમામ સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યા .આજના દિવસે આટલો વરસાદી માહોલ હોવા છતાં ખુબજ મોટી સંખ્યામાં સ્ટુડન્ટોએ   થેલેસેમીયા ટેસ્ટ રીપોટૅ કરાવેલ આ કાયૅક્રમમાં લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીઘો હતો