Gujarat

દીપડા એ માનવ જિંદગીનો ભોગ લીધો..

ગીરગઢડાના વડવિયાળા ગામે માનવભક્ષી દિપડાએ વહેલી સવારે વૃદ્ધને ફાડી ખાધો..

ગીરગઢડા તાલુકાનાં વડવિયાળા ગામે આજે વહેલી સવારે સોપતિયાલા મહાદેવ વાડી વિસ્તારમાં રહેતા અને મૂળ દેલવાડાનાં વતની અને ઘણા સમયથી વડવિયાળા ગામે ખેત મજૂરીનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા વૃદ્ધને વહેલી સવારે માનવભક્ષી દીપડો આવી ચડયો હતો. અને વૃદ્ધ પર હુમલો કરી ફાળી ખાતા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. અને આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
વડવિયાળા ગામે મનસુખભાઈ ખેનીની વાડીની બાજુમાં મચ્છુન્દ્રી નદી આવેલી છે. ત્યાં ડાયાભાઈ ચીનાભાઇ સોલંકી દેવીપુજક નદીના કાંઠે ઝૂંપડામાં સુતા હતા. ત્યારે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ દીપડો ઝૂંપડામાં અંદર ઘુસી ગયો હતો. અને માનવભક્ષી દિપડાએ વૃદ્ધ ડાયાભાઇને ઉપડી નજીક આવેલી મચ્છુન્દ્રી નદી પાસે લઇ જઇ ફાળી ખાધો હતો.
જોકે દિપડો વૃદ્ધને ઉપડી જતાં તેમની પત્ની જાગી જતાં ગુમાબૂમ કરવા લાગેલ પરંતું દિપડો ત્યાથી વૃદ્ધને લઈ નાશી છૂટયો હતો. અને વહેલી સવારે આ વૃદ્ધને દિપડાએ ફાડી ખાધેલ હાલતમા મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ વન વિભાગે કરતા જશાધાર રેન્જના આર.એફ.ઓ એલ.બી. ભરવાડ, નવાબંદર ફોરેસ્ટર એસ.ડી.બારોટ તથા જસાધાર રેન્જનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ઇમરજન્સી 108 એબ્યુલન્સના ઇએમટી જગદીશ મકવાણા પાઇલોટ ભરત બારડ દ્વારા વૃદ્ધના મૃતદેહને ગીરગઢડા સરકારી હોસ્પિટલે પી એમ અર્થે ખસેડવામાં આવેલ છે. વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાની તપાસ હાથ ધરી પાંજરે પૂરવા તજવીજ હાથ ધરેલ છે.