છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવાની આગેવાનીમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા માટે પડતી હાલાકીને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સંબોધીને આવેદનપત્ર નિવાસી અધિક કલેક્ટરને આપવામાં આવ્યું હતું. આ અંગે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વર્ષ 2024-25 માં ડિજીટલ ગુજરાત પોર્ટલ પર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની ઓનલાઇન દરખાસ્ત કરવામાં અનેક ટેકનિકલ અને વ્યવહારિક મુશ્કેલીઓ છે.

જે કારણે આ કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવું અશક્ય છે. અને પાત્રતા ધરાવતા અનેક વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ સમયસર રજૂ ન કરી શકવાના કારણે શિષ્યવૃત્તિથી વંચિત રહેવા સંભવ છે.
તો આ બાબતે ઓછામાં ઓછા ડોક્યુમેન્ટ સાથે સરળતાથી લાયક વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મળી રહે તે માટે શરતોમાં જરૂરી કરવા અને ઓનલાઇન પ્રોસેસમાં પણ સોફ્ટવેરમાં એ સંબંધે સુધારા કરવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર આપી નિવાસી અધિક કલેકટરને રજૂઆત કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

