Gujarat

મેંદરડા : ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી પ્રસંગે આયુર્વેદ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ

મેંદરડા : ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી પ્રસંગે આયુર્વેદ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ

મેઘવાળ સમાજ ખાતે જરૂરિયાત મંદ લોકોને ડો દ્વારા તપાસી નિ: શુલ્ક દવાઓ આપવામાં આવેલ

ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભિમરાવ આંબેડકર ની ૧૩૪મી જન્મ જયંતી પ્રસંગે ડો.હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ જુનાગઢ દ્વારા મેંદરડા મેઘવાળ સમાજ ખાતે સવારે ૯ થી બપોરના ૧૨ વાગ્યા સુધી આયુર્વેદિક મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું

આ આયુર્વેદ મેડિકલ કેમ્પમાં જરૂરિયાત મંદ લોકોને ડોક્ટર દ્વારા તપાસી નિશુલ્ક દવાઓ આપવામાં આવેલ હતી જેમાં ભાઈઓ બહેનો સહિતનાઓ જોડાયા હતા

આ કેમ્પને સફળ બનાવવા મેઘવાળ સમાજ ના કાર્યકરો આગેવાનો અને ડો.હેડગેવાર સેવા સમિતિ ની ટીમ દ્વારા સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બહોળી સંખ્યા માં લોકોએ આ કેમ્પનો લાભ લીધેલ હતો

રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા

IMG-20250414-WA0097-2.jpg IMG-20250414-WA0095-0.jpg IMG-20250414-WA0098-1.jpg