International

ભારતમાં ચીની દૂતાવાસે ૧ જાન્યુઆરીથી ૯ એપ્રિલ, ૨૦૨૫ વચ્ચે ૮૫,૦૦૦ થી વધુ ભારતીય નાગરિકોને વિઝા આપ્યા

ભારત માટે એક તરફ જ્યાં અમેરિકા દ્વારા ટેરિફ મુદ્દે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે, ચીન સાથેના સંબંધોમાં સુધારો થયો હોય તેમ પણ લાગી રહ્યું છે. ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધારો થઈ રહ્યો હોય તેમ એટલા માટે કહી શકાય કેમ કે, ભારતમાં ચીની દૂતાવાસે ૧ જાન્યુઆરીથી ૯ એપ્રિલ, ૨૦૨૫ વચ્ચે ૮૫,૦૦૦ થી વધુ ભારતીય નાગરિકોને વિઝા આપ્યા છે.

આ બાબતે ચીનના રાજદૂત ઝુ ફેઈહોંગના જણાવ્યા મુજબ, “૯ એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં, ભારતમાં ચીની દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સે આ વર્ષે ચીનની મુસાફરી કરતા ભારતીય નાગરિકોને ૮૫,૦૦૦ થી વધુ વિઝા જાહેર કર્યા છે. તેમને ઠ પર લખ્યું છે કે, વધુ ભારતીય મિત્રોનું ચીનની મુલાકાત લેવા અને ખુલ્લા, સલામત, પ્રામાણિક અને મૈત્રીપૂર્ણ ચીનનો અનુભવ કરવા માટે સ્વાગત છે.”

ભારત અને ચીન વચ્ચે સરળ મુસાફરીને સરળ બનાવવા માટે ચીન સરકારે ઘણી છૂટછાટો પણ આપી છે, જે નીચે મુજબ છે.

કોઈ ઓનલાઈન એપોઈન્ટમેન્ટ નહીં: ભારતીય અરજદારો હવે કોઈપણ પૂર્વ ઓનલાઈન એપોઈન્ટમેન્ટ વિના કામકાજના દિવસોમાં સીધા વિઝા સેન્ટરો પર તેમની વિઝા અરજીઓ સબમિટ કરી શકે છે.

ચીની દૂતાવાસના પ્રવક્તા યુ જિંગે ભારત-ચીન આર્થિક અને વેપાર સંબંધોના મહત્વ પર ભાર મૂક્યો છે. “ચીન-ભારત આર્થિક અને વેપાર સંબંધો પૂરકતા અને પરસ્પર લાભ પર આધારિત છે. જિંગે કહ્યું કે યુએસ દ્વારા ટેરિફના દુરુપયોગનો સામનો કરી રહ્યા છીએ. બે સૌથી મોટા વિકાસશીલ દેશોએ સાથે ઊભા રહેવું જાેઈએ.” યુ જિંગે એમ પણ કહ્યું કે ટેરિફ યુદ્ધમાં કોઈ વિજેતા નથી.

હવે, ચીનના વિઝા ઘણા ઓછા દરે મેળવી શકાય છે, જેનાથી ભારતીય મુલાકાતીઓ માટે મુસાફરી વધુ સસ્તી બની છે. ટૂંકા ગાળા માટે ચીનની મુલાકાત લેતા પ્રવાસીઓને બાયોમેટ્રિક ડેટા પ્રદાન કરવામાંથી મુક્તિ આપવામાં આવે છે, જેનાથી પ્રક્રિયા સમય ઓછો થાય છે. ચીન ભારતીય પ્રવાસીઓ માટે મુસાફરીને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહ્યું છે. આ પ્રક્રિયામાં, ચીન તેના સાંસ્કૃતિક આકર્ષણો, જેમ કે તહેવારો અને સ્થળો વિશે પણ માહિતી પ્રદાન કરી રહ્યું છે.