National

કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટિલે જલજ પહેલની સમીક્ષા કરી અને નદી સંરક્ષણ અને આજીવિકા નિર્માણ માટે એક નવો માર્ગ ચીંધ્યો

કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના આજીવિકા-કેન્દ્રિત પ્રોજેક્ટ જલજની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (એનએમસીજી)ના નેજા હેઠળ જલજ કાર્યક્રમ સરકારના અર્થ ગંગા વિઝનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે સ્થાયી આર્થિક પ્રવૃત્તિઓ મારફતે લોકોને નદીઓ સાથે જાેડે છે. આજીવિકા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે સાથે, પ્રોજેક્ટનો ઉદ્દેશ જળચર જૈવવિવિધતા સંરક્ષણ પ્રત્યે સામાજિક જાગૃતિ લાવવાનો છે.

મંત્રી શ્રી એ પોતાની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકીને ભારપૂર્વક જણાવ્યું હતું કે, સંરક્ષણની સાથે-સાથે જલજનો ઉદ્દેશ આર્થિક તકો ઊભી કરવાનો અને નદી કાયાકલ્પનાં પ્રયાસોમાં સમુદાયની ભાગીદારી વધારવાનો છે. જલજે ગંગા તટપ્રદેશમાં ઇકો-ટૂરિઝમ, સ્થાયી ખેતી, કૌશલ્ય વિકાસ અને કારીગરીના ઉત્પાદનને પ્રોત્સાહન આપીને આજીવિકા નિર્માણ સાથે નદી સંરક્ષણને સફળતાપૂર્વક જાેડ્યું છે.

આ પહેલનો ઉદ્દેશ ડોલ્ફિન સફારી, હોમસ્ટે, લાઇવલીહુડ સેન્ટર્સ અને અવેરનેસ એન્ડ સેલ પોઇન્ટ્સ વગેરે જેવા વિવિધ મોડલ સાથે ૭૫ જલજ કેન્દ્રો સ્થાપિત કરવાનો છે. જલજે નૌકાવિહાર સમુદાયના ૫,૦૦૦થી વધુ સભ્યોને સશક્ત બનાવ્યા છે અને નવ રાજ્યોના ૪૨ જિલ્લાઓમાં ૨,૪૦૦ થી વધુ મહિલાઓને ટેકો આપ્યો છે.

સમીક્ષામાં એવું બહાર આવ્યું છે કે જલજનો હેતુ નદી અને સમુદાયો વચ્ચે સહજીવન જાેડાણ કરવાનો છે અને લોકોને સંરક્ષિત ગંગા નદીના મૂલ્યો વિશે શિક્ષિત કરવામાં મદદ કરે છે. સમીક્ષામાં નોંધવામાં આવ્યું છે કે જલજે યુટ્યુબ ચેનલ સહિત ડિજિટલ અને પ્રિન્ટ મીડિયા દ્વારા ૨૬૩ તાલીમ કાર્યક્રમો અને સામૂહિક પહોંચ પ્રયાસો હાથ ધર્યા છે. શ્રી સી. આર. પાટીલે જલજની આજીવિકાની સંભવિતતાને વધારવાના પ્રયાસોની સમીક્ષા કરી હતી અને સમુદાયોને નદીના ઇકોસિસ્ટમ સાથે જાેડતા પુલ તરીકેની તેની ભૂમિકા પર ભાર મૂક્યો હતો, જે નદીના સંરક્ષણને આર્થિક રીતે લાભદાયક પ્રયાસ બનાવે છે. તેમણે જલજ હેઠળ વિકસિત નવીન મોડલ્સની પ્રશંસા કરી હતી અને ગોદાવરી, પેરિયાર, પમ્પા અને બરાક જેવી અન્ય મુખ્ય નદીઓના તટપ્રદેશોમાં સફળ પદ્ધતિઓને વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેમની ઇકોલોજીકલ મૂલ્યાંકનની બેઠકમાં સમીક્ષા પણ કરવામાં આવી હતી.

પહોંચ અને જાગૃતિને વધુ મજબૂત બનાવવા માટે શ્રી સી. આર. પાટીલ દ્વારા સમર્પિત માહિતીપ્રદ જલજ વેબસાઇટ શરૂ કરવામાં આવી હતી. આ વેબસાઇટ એક વ્યાપક સંસાધન કેન્દ્ર તરીકે કામ કરે છે, જે હોમસ્ટેઝ, ડોલ્ફિન સફારી, આજીવિકા તાલીમ કેન્દ્રો અને જાગૃતિ અને વેચાણ કેન્દ્રો જેવા વિવિધ જલજ મોડેલોની વિગતવાર માહિતી પ્રદાન કરે છે. તે જલજ પહેલે સમુદાયના સભ્યોને, ખાસ કરીને મહિલાઓને માર્કેટિંગ કેન્દ્રો સાથે જાેડીને કેવી રીતે સશક્ત બનાવ્યા છે, તેના પર સફળતાની ગાથાઓ પણ પ્રદર્શિત કરે છે. આ વેબસાઇટ ગંગા પ્રહરીઓ દ્વારા રચવામાં આવેલા ઇકો-ફ્રેન્ડલી ઉત્પાદનોની શ્રેણીને પ્રદર્શિત કરે છે અને તેનો ઉદ્દેશ ગંગા નદી ડોલ્ફિન, ક્રોકોડિલિયન્સ, તાજા પાણીના કાચબા અને પાણીના પક્ષીઓ સહિત જાેખમી જળચર જૈવવિવિધતા વિશે વ્યાપક જાગૃતિ લાવવાનો છે.

વધુમાં, જલજ પ્રોડક્ટ્સ કેટલોગ લોન્ચ કરવામાં આવી હતી, જેને જલજ પ્રોડક્શન સેન્ટર્સ ખાતે તૈયાર કરવામાં આવેલી સતત ઉત્પાદિત ચીજવસ્તુઓની રૂપરેખા તૈયાર કરીને વિકસાવવામાં આવી છે, જેને સ્ટેશનરી આઇટમ્સ, હોમ ડેકોરેશન, એપેરલ્સ, બોડી અને સ્કિનકેર અને ખાદ્ય પદાર્થોમાં વર્ગીકૃત કરવામાં આવી છે. તદુપરાંત, જલજ હેઠળની એક વિશેષ સુવિધા “સાંસ્કૃતિક લહેરેં”નું વિમોચન શ્રી સી. આર. પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું, જે ગંગા નદીના સાંસ્કૃતિક ઇકોસિસ્ટમ સર્વિસ મૂલ્યને ઉજાગર કરે છે, જે ભારતના વારસા, પરંપરાઓ અને લાખો લોકોની આજીવિકા સાથેના તેના ઊંડા જાેડાણ પર ભાર મૂકે છે. જલજની સફળતાને વ્યાપકપણે માન્યતા મળી છે. ભારતના આદરણીય રાષ્ટ્રપતિએ ગજ ઉત્સવ ૨૦૨૩ દરમિયાન તેની પ્રશંસા કરી હતી, અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના “મન કી બાત” સંબોધનમાં અને આઇસીસીઓન ૨૦૨૩, મૈસુરમાં તાજા પાણીના સંરક્ષણ માટે જલજનો ઉલ્લેખ કર્યો હતો.

જલજ પહેલ, સંરક્ષણના પ્રયત્નોને આજીવિકાના સર્જન સાથે જાેડીને, આજે પર્યાવરણીય સંરક્ષણ અને સામાજિક-આર્થિક વિકાસ કેવી રીતે એક સાથે-સાથે જઈ શકે છે તેના એક ઉજ્જવળ ઉદાહરણ તરીકે ઉભું છે – જે ખરેખર અર્થ ગંગાના દ્રષ્ટિકોણને સાકાર કરે છે.