National

જીનીવામાં ટ્રેડિશનલ મેડિસિનના મિત્રોના જૂથ (GFTM)ની છઠ્ઠી બેઠક યોજાઈ

ટ્રેડિશનલ મેડિસિન મિત્રોના જૂથ (ય્હ્લ્સ્)ની છઠ્ઠી બેઠક ૯ મે, ૨૦૨૫ના રોજ જીનીવામાં ભારતના કાયમી મિશન ખાતે સફળતાપૂર્વક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ દેશોના રાજદૂતોના પ્રતિનિધિઓ એકત્ર થયા હતા અને વૈશ્વિક આરોગ્યસંભાળ પ્રણાલીઓમાં પરંપરાગત દવાની ભૂમિકાને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ હતા.

ગુજરાત ઘોષણાપત્ર અને ભૂતકાળની બેઠકોની સફળતાના આધારે, આ મેળાવડો મુખ્ય વૈશ્વિક પહેલોને સમર્થન આપે છે – ખાસ કરીને ઉૐર્ં પરંપરાગત દવા વ્યૂહરચના ૨૦૨૫-૨૦૩૪ અને આગામી બીજા ઉૐર્ં વૈશ્વિક પરંપરાગત દવા સમિટ, જે ૨-૪ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન ભારતમાં યોજાશે.

આયુષ મંત્રાલયના સચિવ , વૈદ્ય રાજેશ કોટેચાએ વર્ચ્યુઅલી મુખ્ય સંબોધન આપ્યું હતું. જેમાં સમગ્ર વિશ્વમાં પુરાવા-આધારિત પરંપરાગત દવાને પ્રોત્સાહન આપવામાં ભારતના નેતૃત્વ અને પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આયુષ મંત્રાલયના સચિવે પોતાના ભાષણમાં સાવર્ત્રિક આરોગ્ય કવરેજ પ્રાપ્ત કરવા અને એક આરોગ્ય અને ટકાઉ વિકાસના લક્ષ્યોને આગળ વધારવામાં પરંપરાગત દવાની વધતી જતી સુસંગતતા પર ભાર મૂક્યો હતો.

આયુષ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય આયુષ મિશન, આયુષના સંકલિત મોડેલ, આરોગ્ય મંદિરો, પરંપરાગત દવા માટે વીમા કવરેજ, અને DBT, DST, ICMR અને CSIR જેવી અગ્રણી સંસ્થાઓ સાથે સહયોગી સંશોધન જેવી પહેલો સાથે ભારતની પ્રતિબદ્ધતાને પુન:પુષ્ટિ કરી હતી.

આ સંબોધનમાં પરંપરાગત દવામાં છૈં, જીનોમિક્સ અને બાયોઇન્ફોર્મેટિક્સ જેવા ઉભરતા ક્ષેત્રો પર ભારતના ધ્યાન પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો – જે પરંપરાગત દવામાં છૈં એપ્લિકેશન્સ પરની વૈશ્વિક તકનીકી બેઠકમાં પ્રતિબિંબિત થયું હતું, જેમાં પરંપરાગત જ્ઞાનના રક્ષણ, ક્ષમતા વધારવા અને સમાન વૈશ્વિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં દેશની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

“મે ૨૦૨૩માં ભારત દ્વારા ટ્રેડિશનલ મેડિસિન મિત્રોના જૂથ (ય્હ્લ્સ્) ની રચના કરવામાં આવી હતી. આ અનૌપચારિક પ્લેટફોર્મ ઉૐર્ં સભ્ય દેશોને આરોગ્ય પ્રણાલીઓમાં પરંપરાગત દવાના એકીકરણ પર ચર્ચા કરવા અને સમર્થન આપવાની મંજૂરી આપે છે,” તેમણે વધુ સહયોગ, જ્ઞાન આદાનપ્રદાન અને સંશોધન ભાગીદારી માટે હાકલ કરતા કહ્યું હતું.

આ બેઠકનું આયોજન કરનાર જીનીવામાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશન દ્વારા ઉૐર્ં માર્ગદર્શિકા અને રાષ્ટ્રીય નીતિઓ અનુસાર પરંપરાગત અને સંકલિત આરોગ્યસંભાળ ઉકેલો પર આંતરરાષ્ટ્રીય સહયોગને આગળ વધારવાની પ્રતિબદ્ધતાને પુન:પુષ્ટિ કરવામાં આવી હતી.

આયુષ મંત્રાલયના નેતૃત્વ સાથે, ભારત ફક્ત તેના પરંપરાગત સુખાકારી વારસાને જ સાચવી રહ્યું નથી, પરંતુ વૈશ્વિક સ્વાસ્થ્યના ભવિષ્યને પણ ફરીથી આકાર આપી રહ્યું છે – જે સમાવિષ્ટ, નિવારક અને પ્રકૃતિના જ્ઞાનમાં ઊંડા મૂળ ધરાવે છે.

નોંધનીય છે કે ટ્રેડિશનલ મેડિસિનના મિત્રોનું જૂથ ૨૩ મે ૨૦૨૫ના રોજ ૭૮મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી (ઉૐછ૭૮) દરમિયાન જીનીવામાં આવેલા યુએન પેલેસ ડેસ નેશન્સ ખાતે સાંજે ૬:૦૦ થી ૭:૩૦ વાગ્યા સુધી એક ઉચ્ચ-સ્તરીય સાઇડ ઇવેન્ટનું આયોજન કરશે. “ટ્રેડિશનલ મેડિસીન: ફ્રોમ ટ્રેડિશનલ હેરિટેડ ટુ ફ્રન્ટિયર સાયન્સ, ફોર હેલ્થ ફોર ઓલ” શીર્ષક ધરાવતો આ કાર્યક્રમ સાવર્ત્રિક આરોગ્ય પ્રણાલીઓ અને ટકાઉ વિકાસ માળખામાં પરંપરાગત, પૂરક અને સંકલિત દવા (્ઝ્રૈંસ્) ને એકીકૃત કરવા માટે વધતી જતી વૈશ્વિક ગતિને પ્રકાશિત કરશે.