શિક્ષકોના સામાજિક ઉત્તરદાયિત્વ કાર્યક્રમ અંતર્ગત સતત ૧૫ મા વર્ષે શૈક્ષણિક સહાય
ભાવનગર શિક્ષકોના સામાજિક ઉત્તરદાયિત્વ કાર્યક્રમ અંતર્ગત સતત ૧૫ મા વર્ષે શૈક્ષણિક સહાય
ભાવનગર મહાનગરપાલિકાની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો પૈકી ૧૪૦૦ અ સહાય વિદ્યાર્થીઓને શિશુવિહાર સંસ્થા દ્વારા સતત ૧૫ મા વર્ષે સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવશે..
સીઝન પ્રુફ સ્કુલ બેગ સાથે કંપાસ સેટ .વોટર બોટલ. પાંચ પાંચ નોટબુક. તથા સ્કૂલ રમતગમતમાં ઉપયોગી શૂઝ ના વિતરણથી. પ્રાથમિક સ્તરે જરૂરિયાતમંદ બાળકોને મદદરૂપ થવામાં આવશે.
પરીખ ફાઉન્ડેશનના વિશેષ સહકારથી યોજાયેલ કાર્યક્રમ અંતર્ગત શહેરની ૫૬ પ્રાથમિક શાળાઓમાં વર્ષ ૨૦૦૯ થી ચાલતા બાળ પુસ્તકાલય અંતર્ગત પ્રત્યેકને. બાળ પુસ્તકાલય માટે ૧૦૦ .૧૦૦ પુસ્તકોનું પણ વિતરણ કરવામાં આવશે..આર્થિક કારણોસર બાળક શિક્ષણની મુખ્ય ધારાથી વંચિત ન બની જાય તેવા હેતુસર યોજાયેલ આ પ્રવૃત્તિ દ્વારા શિક્ષકો પણ પસંદ કરેલ બે બાળકોની વર્ષ દરમિયાન કાળજી લે છે. તેમજ દશેરા દિવાળી જેવા પર્વમાં બાળકના ઘરે જઈને તેના કુટુંબમાં માર્ગદર્શક બને છે.. ભાવનગર મહાનગરપાલિકા ની શાળાઓથી પ્રારંભાયેલા પ્રવૃતિ ગુજરાતના ભરૂચ, જામનગર, સુરત પ્રકારે અનેક જિલ્લાઓમાં વ્યાપી છે જે સરાહનીય બને છે. શિક્ષણ સમિતિના વિશેષ સહકારથી યોજાતા આ કાર્યક્રમના બીજા ચરણમાં પ્રાથમિક શાળાના ઉજ્જવળ વિદ્યાર્થીઓનું અભિવાદન અને માર્ગદર્શન કાર્યક્રમ પણ શહેરના એક શિક્ષક અને હાલ ભારત સરકારમાં માનનીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયા ની અધ્યક્ષતામાં યોજાનાર છે..
રિપોર્ટ નટવરલાલ ભાતિયા