Gujarat

સોમનાથ ત્રિવેણી સંગમમાં વિસર્જન માટે પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા

ગીર-સોમનાથ જિલ્લામાં પ્રભાસ-પાટણ ખાતે આવેલ ત્રિવેણી સંગમ નદીમાં વિસર્જન માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.વી.લીંબાસીયાને મળેલ સત્તાની રૂઇએ પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે. જેમાં પુજા સામગ્રી જેવી કે, ચૂદડી, કાપડ,નાળીયેર, ફુલો, માટીના વાસણો,પ્લાસ્ટીકની કોથળીઓ, અન્ય પ્લાસ્ટીકની સામગ્રી, રાંધેલ કે કાચી ખાદ્ય સામગ્રી તથા અન્ય કોઇપણ પ્રકારનો કચરો નાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ત્રીવેણી સંગમમાં માત્ર અસ્થિ અને પીંડ વિસર્જન કરી શકાશે. આ જાહેરનામુ તાત્કાલીક અસરથી દીન-૬૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ઇ.પી.કો. ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.હોવાનું સોની યોગેશ ભાઈ પ્રભુદાસ ભાઈ  સતીકુંવર દ્વારા જણાવ્યું હતું કે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *