કણજોતર ગામ ખાતે આવેલ પ્રાચીન મહાકાલેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભક્તિમય માહોલ વચ્ચે વિશેષ પૂજા-અર્ચના યોજાઈ હતી. આ પ્રસંગે શંકર ભગવાનની મૂર્તિ બનાવીને ઘીપૂજન કરવામાં આવ્યું હતું.
ગામજનો અને ભક્તો મોટી સંખ્યામાં મંદિરે ઉપસ્થિત રહી, હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તિભાવપૂર્વક પૂજામાં ભાગ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર ધાર્મિક ભાવનાથી ઓતપ્રોત બન્યું હતું અને ભક્તોએ શ્રાવણ માસના પાવન અવસર પર ભગવાન શિવનો આશીર્વાદ પ્રાપ્ત કર્યો હતો.
રિપોર્ટર. પરેશ લશ્કરી