સોમવારે ઈરાનના રાજ્ય સંચાલિત મીડિયાએ જણાવ્યું હતું કે, ઈરાનના પરમાણુ ઊર્જા સંગઠનના વડા, મોહમ્મદ ઇસ્લામી, વાટાઘાટો માટે મોસ્કો પહોંચ્યા છે, કારણ કે યુએન તેહરાન પર તેના પરમાણુ કાર્યક્રમ પર ફરીથી પ્રતિબંધો લાદવા કે નહીં તે અંગે વિચાર કરી રહ્યું છે.
શુક્રવારે, ૧૫ સભ્યોની યુએન સુરક્ષા પરિષદે તેહરાન પરના પ્રતિબંધોને કાયમી ધોરણે હટાવવાના ડ્રાફ્ટ ઠરાવને નકારી કાઢ્યો હતો, જેને રશિયા અને ચીન દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું, અને જેઓ બ્રિટન, ફ્રાન્સ અને જર્મની દ્વારા યુએન પ્રતિબંધો ફરીથી લાદવાના પ્રયાસોનો વિરોધ કરે છે.
યુરોપિયન રાષ્ટ્રો તેહરાન પર ૨૦૧૫ માં વિશ્વ શક્તિઓ સાથેના કરારનું પાલન કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવે છે જેનો હેતુ તેને પરમાણુ હથિયાર વિકસાવવાથી અટકાવવાનો હતો. ઈરાન આવા કોઈ ઈરાદાનો ઇનકાર કરે છે અને રશિયા કહે છે કે તે તેહરાનના શાંતિપૂર્ણ પરમાણુ ઊર્જાના અધિકારને સમર્થન આપે છે.
ઇસ્લામી, જે ઇરાનના ઉપરાષ્ટ્રપતિ પણ છે, તેમણે ઇરાની રાજ્ય મીડિયાને જણાવ્યું હતું કે રશિયાની તેમની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સહયોગ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે, જેમાં તેહરાન ૨૦૪૦ સુધીમાં ૨૦ ય્ઉ પરમાણુ ઉર્જા ક્ષમતા સુધી પહોંચવા માંગે છે, તેથી આઠ પરમાણુ ઉર્જા પ્લાન્ટ બનાવવાની યોજનાનો સમાવેશ થાય છે.
“કરાર વાટાઘાટો થઈ છે અને આ અઠવાડિયે કરાર પર હસ્તાક્ષર સાથે, અમે ઓપરેશનલ પગલાંઓ દાખલ કરીશું,” ઇસ્લામીએ કહ્યું.
ઉચ્ચ માંગવાળા મહિનાઓ દરમિયાન વીજળીની અછતનો સામનો કરતા ઇરાન પાસે દક્ષિણ શહેર બુશેહરમાં ફક્ત એક જ કાર્યરત પરમાણુ ઉર્જા પ્લાન્ટ છે જે રશિયા દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તેની ક્ષમતા લગભગ ૧ ય્ઉ છે.
બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ પ્રતિબંધો ફરીથી લાગુ કરવામાં છ મહિના સુધી વિલંબ કરવાની ઓફર કરી છે – તેહરાનના પરમાણુ કાર્યક્રમ પર લાંબા ગાળાના કરાર પર વાટાઘાટો માટે જગ્યા આપવા માટે – જાે ઇરાન યુએન પરમાણુ નિરીક્ષકો માટે ઍક્સેસ પુન:સ્થાપિત કરે છે, તેના સમૃદ્ધ યુરેનિયમના સ્ટોક અંગેની ચિંતાઓને દૂર કરે છે અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વાટાઘાટોમાં જાેડાય છે.
પ્રતિબંધો ફરીથી લાદવામાં કોઈપણ વિલંબ માટે સુરક્ષા પરિષદના ઠરાવની જરૂર પડશે. જાે ૨૭ સપ્ટેમ્બરના અંત સુધીમાં મુદત લંબાવવા અંગે કોઈ સોદો ન થાય, તો યુએનના તમામ પ્રતિબંધો ફરીથી લાદવામાં આવશે.