તુલસી વિવાહ ની કંકોતરી ગમાપીપળીયા – ખાનપર કોટડાપીઠા વચ્ચે જાડેરી જાન જોડવા આયોજકો નું આહવાન
બાબરા ના ગમાપીપળીયા રામજી મંદિરના પુજારી બાલકદાસબાપુ દેશાણી તેમજ ચતુર્થ તુલસીવિવાહના આયોજન ની તડામાર તૈયારી ઓનો પ્રારંભ શ્રી રાફડા વાળા ખોડીયાર માતાજીના મંદિરના મહંતશ્રી લક્ષ્મણ ગીરીબાપુ ગુરૂશ્રી મહંત અમીત ગીરી તેમજ ગમાપીપળીયા, કોટડાપીઠા અને ખાનપર ગામના આગેવાનો ભગવાન શાલીગ્રામ સંગ વૃંદાજી ના લગ્નોત્સવ નું ભવ્ય આયોજન કરાયું બાબરા તાલુકા ના ગમાપીપળીયા રામજી મંદિરે ત્રણ ગ્રામ્ય ન અગ્રણી ભેગા મળ્યા.તેમજ કોટડાપીઠાના આઇ શ્રી રાફડા વાળા ખોડીયાર મંદિરના મહંતશ્રી લક્ષમણ ગીરીબાપુ તેમજ સ્વયંસેવકો અને આગેવાનો દ્વારા ગમાપીપળીયા રામજી મંદિરેથી ઠાકોરજીની મોટી જાન કારતક સુદ ૧૧ ને રવિવારે તા.૨-૧૧-૨૦૨૫ને ના શુભ દિવસે મોટી જાન જોડી આવવા ભાવભર્યુ આમંત્રણ આપી ભાવ વ્યક્ત કર્યો અને જેમ બને તેમ મોટી જાન લઈ આવવા જણાવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા