National

કાર્તિક સ્વામી મંદિરના કપાટ ૧૪ એપ્રિલે ખુલશે

હિમાચલમાં મણિમહેશ યાત્રા પર પ્રતિબંધ, પરિક્રમા સ્થળ પર પોલીસ તૈનાત

હિમાચલ પ્રદેશના ચંબામાં ‘મણિમહેશ યાત્રા’ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જીડ્ઢસ્ ભરમૌરે પોલીસ સ્ટેશનના પ્રભારીને આદેશ આપ્યા કે પરિક્રમા સ્થળ ધંછો, ગૌરીકુંડ અને મણિમહેશમાં પોલીસ જવાનોની તૈનાતી કરીને વિશેષ દેખરેખ શરૂ કરવામાં આવે. કોઈપણ યાત્રીને ધંછોથી આગળ ન જવા દેવામાં આવે.કેટલાક યાત્રીઓ પ્રશાસનને જાણ કર્યા વિના છૂપી રીતે મણિમહેશ જવા લાગ્યા છે, જ્યારે ભરમૌરમાં હજુ પણ ચાર-પાંચ ફૂટથી પણ વધુ બરફ છે. બે દિવસ પહેલા પણ અહીં તાજાે હિમવર્ષા થઈ હતી. મણિમહેશ જવાના રસ્તાઓ ૨૦૨૫ના ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે. આવા સંજાેગોમાં મણિમહેશની યાત્રા જીવલેણ સાબિત થઈ શકે છે.જીડ્ઢસ્ ભરમૌરે પોતાના આદેશોમાં જણાવ્યું કે ‘કાર્તિક સ્વામી મંદિર‘ના કપાટ ૧૪ એપ્રિલે ખુલી રહ્યા છે. દર વર્ષની જેમ આ વખતે પણ કેટલાક ભક્તો અત્યારથી જ કાર્તિક સ્વામી મંદિર પહોંચવા લાગ્યા છે. આ દરમિયાન કેટલાક લોકો મણિમહેશ તરફ જઈ રહ્યા છે. કોઈને પણ પરિક્રમા માર્ગ (ધંછો, ગૌરીકુંડ અને મણિમહેશ) પર જવાની પરવાનગી આપવામાં આવશે નહીં.

જીડ્ઢસ્એ નિર્દેશ આપ્યા કે હડસર મેઈન ગેટ પર વાહનોની નિયમિત તપાસ કરવામાં આવે. સાથે જ, મણિમહેશ જનારા શ્રદ્ધાળુઓને પરિક્રમા માર્ગ પર જતા રોકવામાં આવે અને તેમને માર્ગની વાસ્તવિક સ્થિતિથી અવગત કરાવવામાં આવે, જેથી કોઈ પણ અપ્રિય ઘટનાને રોકી શકાય.જીડ્ઢસ્ એ હડસર ગ્રામ પંચાયત અને આસપાસની પંચાયતોને પણ નિર્દેશ આપ્યા કે તેઓ માહિતી બોર્ડ અને પોસ્ટર લગાવીને સ્થાનિક જનતા અને યાત્રીઓને માર્ગની સ્થિતિ અને સંભવિત જાેખમો વિશે જાગૃત કરે.જણાવી દઈએ કે ગયા વર્ષે ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે ભરમૌર યાત્રા પર ગયેલા ૨૫ હજારથી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા હતા. આ યાત્રા દરમિયાન લગભગ ૨૬ યાત્રીઓના મોત થયા હતા. રસ્તાઓ અને માર્ગોનો નામનિશાન પણ મટી ગયો હતો. મણિમહેશ જવાના રસ્તાઓ હજુ પણ સંપૂર્ણપણે પુન:સ્થાપિત થઈ શક્યા નથી. આને ધ્યાનમાં રાખીને પ્રશાસને આ ર્નિણય લીધો છે. મણિમહેશની સત્તાવાર યાત્રા ઓગસ્ટ મહિનામાં કૃષ્ણ જન્માષ્ટમીથી શરૂ થાય છે અને રાધાષ્ટમી પર સમાપ્ત થાય છે.