દક્ષિણ દિલ્હીના સૈદુલજબ વિસ્તારમાં સાકેત મેટ્રો સ્ટેશન નજીક સાંજના સમયે અચાનક ચાર માળની કોમર્શિયલ ઇમારત ધરાશાયી થવાથી ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે અને દસ અન્ય ઘાયલ થયા છે.
કાટમાળમાંથી બચી ગયેલા લોકોને બહાર કાઢવા માટે રાતોરાત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી કારણ કે અધિકારીઓ વધુ લોકોને બહાર કાઢવાની આશામાં શોધખોળ ચાલુ રાખે છે. આ એક બહુ-એજન્સી બચાવ કામગીરી છે, જેમાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ, દિલ્હી ફાયર સર્વિસીસ, દિલ્હી પોલીસ, દિલ્હી આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન, સિવિલ ડિફેન્સ અને ઝ્રછ્જી એમ્બ્યુલન્સ સર્વિસની ટીમોનો સમાવેશ થાય છે.
બચાવ કામગીરી ટીમો દ્વારા મહત્તમ પ્રયાસો કરવા માટે ભારે મશીનરી, હાઇડ્રોલિક કટર, પીડિત-સ્થાન કેમેરા અને સ્નિફર ડોગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બધા ઘાયલોને સારવાર માટે છૈંૈંસ્જી ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા.

