માંડલ તાલુકાના નવાગામ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે સવારે મુલાકાત લીધી હતી. તેમણે નવાગામના જૂના વણકરવાસ ખાતે પહોંચી ગ્રામજનો સાથે આત્મીય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગ્રામજનો સાથે હળવાશભર્યા વાતાવરણમાં સંવાદ કર્યો હતો અને તેમની સાથે ચા-નાસ્તો પણ કર્યો હતો.

રાજ્યપાલને પોતાના ગામમાં નજીકથી મળવાની તક મળતા ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યપાલની આ મુલાકાતે સામાજિક સમરસતા, ગ્રામજનો સાથે સીધો સંપર્ક અને આત્મીયતાનો સુંદર સંદેશ આપ્યો હતો. તેમની ઉપસ્થિતિથી સમગ્ર વિસ્તારમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ હતી.

