Gujarat

સુરતમાં તરૂણોની રસીકરણમાં રસીનો જથ્થો ખુટ્યો અને રજાઓને કરાણે રસીકરણ બંધ

સુરત
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની વિવિધ સ્કૂલમાં વેક્સિન મુકવાની કામગીરી શરૂ કરાઇ હતી. વેક્સિનનો જથ્થો અપૂરતા પ્રમાણમાં હોવાના કારણે કામગીરી ધીમી ગતિએ કરવામાં આવી હતી. જેને કારણે અત્યાર સુધીમાં માત્ર ૧.૨૫ લાખ જેટલા બાળકોને વેક્સિન આપવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે, વેક્સિનેશન દરમિયાન શાળાઓમાં આવતી રજાને કારણે પણ શાળાઓમાં એકસરખી ઝડપે વેક્સિનેશન કરી શકાયું નથી. આસિસ્ટન્ટ હેલ્થ કમિશનર ડૉ. આશિષ નાયક જણાવ્યું કે, છેલ્લા થોડા દિવસોથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. જેમાં બાળકોની સંખ્યા પણ ખૂબ જ વધારે જાેવા મળી રહી છે. અમદાવાદ બાદ સૌથી વધારે કોરોના પોઝિટિવ બાળકોની સંખ્યા સુરત શહેરમાં જાેવા મળી છે. શાળાઓમાં બાળકો વધુ પ્રમાણમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા.તે શાળાના કેટલાક વર્ગો બંધ કરવામાં આવ્યા અથવા તો આખી સ્કૂલ સાત દિવસ માટે બંધ કરવામાં આવી હતી. બાળકો શાળામાં ન આવ્યા હોવાને કારણે તેમને વેક્સિનેશન થઈ શક્યું નથી. રજાઓના દિવસો પણ આવતી હોવાથી શાળાઓ બંધ હતી. વચ્ચે એકાદ બે દિવસ વેક્સિનનો જથ્થો પણ પૂરતો ન હતો. જાેકે હવે વેક્સિન આવી ગઈ છે. જેથી ફરીથી અમારા આરોગ્ય વિભાગની ટીમ સત્વરે તમામ બાળકોને વેક્સિન મળી જાય તે પ્રકારની તૈયારી કરી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ૧૫ થી ૧૮ વર્ષના કિશોરો માટે વેક્સિનેશન ખૂબ મોટા પ્રમાણમાં શરૂ કરાયું હતું. સુરત શહેરમાં ૧.૯૪ લાખ બાળકોને વેક્સિન મુકવા માટે ગણતરીમાં લેવાયા હતા. પહેલા એક સપ્તાહમાં ખૂબ જ ઝડપથી વેક્સિનેશન કામગીરી થઇ છે. પરંતુ ત્યારબાદ વેક્સિનેશનની કામગીરી ધીમી ગતિએ શરૂ થઈ હતી. તેની પાછળના કેટલાક મહત્વના કારણો સામે આવ્યા છે.જેમાં વેક્સિનનો જથ્થો ખૂટવાની સાથે સાથે રજાઓને કારણભૂત માનવામાં આવે છે. એક તરફ વિદ્યાર્થીઓ સંક્રમિત થઈ રહ્યાં છે ત્યારે ધીમા રસીકરણને લઈને વાલીઓમાં ચિંતા પ્રસરી છે.

Vaccinate-adolescents-between-the-ages-of-15-and-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *