Delhi

ભારતમાં કોરોનાના કેસમાં ફરી વધારો આવતાં ચિંતા વધી

નવીદિલ્હી
ભારતમાં કોરોના વાયરસના ૨,૭૧,૨૦૨ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૧૪ લોકોના મોત થયા છે. કોરોના એક્ટિવ કેસની સંખ્યા ૧૫ લાખને વટાવી ગઈ છે. હાલમાં દેશમાં કોવિડ ૧૯ના કોરોનાના કુલ ૧૫,૫૦,૩૭૭ સક્રિય કેસ છે. ૨૪ કલાકમાં ૧,૩૮,૩૩૧ દર્દીઓ સાજા પણ થયા છે. દેશમાં ચેપનો દર વધીને ૧૬.૨૮% થઈ ગયો છે. ગઈકાલથી અત્યાર સુધીમાં ૨૩૬૯ નવા કેસ નોંધાયા છે. બીજી તરફ ઓમિક્રોન વેરિઅન્ટની વાત કરીએ તો તેના દર્દીઓ વધીને ૭૭૪૩ થઈ ગયા છે. ૨ લાખ ૬૮ હજાર ૯૩૩ નવા કેસ સામે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૩ હજાર ૨૧૧ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૨૩ લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના નવા કેસોમાંથી ૧૬.૭ % કેસ એકલા મહારાષ્ટ્રમાં છે, જેમાં ડેલ્ટા વેરિઅન્ટના દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે, જ્યારે ૩૨ ટકા દર્દીઓ ઓમિક્રોનથી સંક્રમિત જાેવા મળ્યા છે. મુંબઈમાં કોરોનાના ૧૦,૬૬૧ નવા કેસ નોંધાયા છે અને ૧૧ લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોના ચેપના નવા કેસમાં ઘટાડો થયો છે. શનિવારે દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ચેપના ૨૦,૭૧૮ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કારણે ૩૦ લોકોના મોત પણ થયા છે. નવા આંકડા સાથે, દિલ્હીમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને ૯૩,૪૦૭ થઈ ગઈ છે. હકારાત્મકતા દર ૩૦.૬૪ છે. દિલ્લીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે છેલ્લા પાંચ-છ દિવસથી હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા વધી રહી નથી. દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેર ટોચ પર છે અને હવે કેસ ઘટવા લાગશે. દિલ્હીમાં આજે રવિવારે પણ કોરોના કર્ફ્‌યુ ચાલુ છે, જાેકે મેટ્રો ગયા વખતની જેમ ચાલુ રહેશે.

Corona-Virus.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *