ગિરગઢડા
ભરત ગંગદેવ..
સમગ્ર ભારતમાં ૭૩માં ગણતંત્ર દિવસ નિમિત્તે આન બાન શાનથી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વરમાં અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીજીની પ્રેરણાથી વિદ્યાર્થી, સંતો તથા શિક્ષકોએ આ પર્વની ઉજવણી કરી હતી. આ દિવસે મારુતિધામમા બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને તિરંગા વાઘા તથા તિરંગા રંગના ફુગ્ગાથી શણગાર કર્યો હતો.


