ગિરગઢડા
ભરત ગંગદેવ
સત્કાર્ય…સાથે…સેવા… ના ધ્યેય સાથે છેલ્લા આઠ વર્ષથી સગપણ સેવાકાર્ય માટે કાર્યરત લોહાણા સગપણ માહિતી કેન્દ્ર પોરબંદર દ્વારા રઘુવંશી પરિવારોની દીકરીઓના લગ્ન અવસર યોજવા માટે આગામી તારીખ 17/4/2022 ના રોજ “તૃતીય જલારામ સમૂહ લગ્નોત્સવ 2022 (વિનામૂલ્યે)” નું ભવ્ય આયોજન પોરબંદર ખાતે કરાયેલ છે
સમૂહ લગ્નોત્સવ આયોજનમાં આર્થિક રીતે નબળા કે ગરીબ લોકો હોય તેવા જ લોકો જોડાય તેવી માન્યતા દૂર કરાવવા તેમજ સામાજિક એકતા વધુ મજબૂત બની શકે તે માટે આર્થિક રીતે સુખી-સંપન્ન રઘુવંશી પરિવારો ને આ સમૂહ લગ્નોત્સવમાં જોડાઈ તેમના દીકરા દીકરીના લગ્ન કરી સમાજમાં એક ઉત્કૃષ્ટ દાખલો બેસે તે માટે રઘુવંશી વડીલોને આગળ આવવા આયોજકો તરફથી ખાસ વિશેષ અપીલ કરાયેલ છે
ગીર સોમનાથ જિલ્લામા વસતા લોહાણા સમાજ ના જ્ઞાતિજનોએ આ સમૃહલગ્ન મા નામ નોંધાવવા ફોર્મ મેળવી પરત કરવા માટે સંપર્ક કરશો..
(1)
અનિષ નોતમલાલ રાચ્છ*
વેરાવળ- ગીર સોમનાથ
*9898042042*
(2)
રમણીકભાઇ રાયઠ્ઠઠા
ધીરૂભાઈ ચંદે
યોગેશ રતનધારીયા
દીપકભાઈ શીંગળા લોહાણા મહાજન વાડી સટ્ટા બજાર, વેરાવળ 02876221633.


