ગિરગઢડા
ભરત ગંગદેવ.
શનિવારના પરમ પાવન દિવસે વસંતપંચમી જેવો અણમોલ દિવસ વિદ્યાના અધિષ્ઠાત્રી દેવી માં સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ અને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ તથા સર્વજીવ હિતાવહનો સંદેશો આપતો ગ્રંથ એવી શિક્ષાપત્રીની જયંતિ નિમિત્તે એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીજીની પ્રેરણા સાથે દ્રોણેશ્વર ગુરુકુલ ખાતે મારુતિધામમાં હનુમાનજી મહારાજના સાનિધ્યમાં સંતો ભક્તો દ્વારા માં સરસ્વતી તથા શિક્ષાપત્રીનું ૧૦૮ નામથી તુલસી દલ દ્વારા પુજન કરી દાદાનું પંચોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શામજી ભગતે શિક્ષાપત્રીનું જીવનમાં મહત્વ એ વિશે વાત કરી હતી. આયોજનમાં નવનીતભાઈ સાવલીયાની મદદ મળી હતી.


