Maharashtra

આરસીબીથી અલગ કરવાનો મને ઘણી ફ્રેન્ચાઝીઓનો પ્રયાસ ઃ વિરાટ કોહલી

મુંબઈ
૩૩ વર્ષીય વિરાટ કોહલીએ ઇઝ્રમ્ માટે ઘણી મેચ વિનિંગ ઇનિંગ્સ રમી છે. પરંતુ આ ટીમ ક્યારેય ૈંઁન્નો ખિતાબ જીતી શકી નથી. તેણે કહ્યું, “ઇઝ્રમ્ મારા જીવનનો એક ભાગ છે. અને, મારી સંપૂર્ણ ઇમાનદારી તેની સાથે છે.” કોહલીએ આગળ કહ્યું, “લીગના પહેલા ૩ વર્ષમાં ઇઝ્રમ્એ મને શું આપ્યું, મારા પર વિશ્વાસ કર્યો, તે મારા માટે ખૂબ જ ખાસ છે. મારી પાસે ઘણી ટીમો માટે તકો હતી. પરંતુ તેઓ મારા પર આ રીતે વિશ્વાસ કરતા નથી અને આવો ટેકો બતાવતા નથી.” આ પહેલા ઇઝ્રમ્ના પૂર્વ કેપ્ટને ૈંઁન્માં રમાયેલી મેચ વિશે જણાવ્યું, જેમાં તે આજ સુધી હારને ભૂલી શક્યો નથી. કોહલીના મતે તે મેચ ૈંઁન્ ૨૦૧૬ની ફાઈનલ હતી. આરસીબીના હોમગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી તે મેચમાં, ટીમને સનરાઇઝર્સ હૈદરાબાદના હાથે ૮ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, તે પણ જ્યારે તેની જીતનો પાયો નાખવામાં આવ્યો હતો.વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. હવે તે ટીમમાં માત્ર એક ખેલાડી તરીકે જ સામેલ છે. આ દરમિયાન તે ઇઝ્રમ્ ની ટીમને છોડીને ક્યાંય બીજે જવા માંગતો નહી હોવાનો પોતાનો ઇરાદાના સંકેત પણ દર્શાવી ચુક્યો છે. પરંતુ જાે કોહલી આઇપીએલ ઓક્શનમાં ઉતરે તો એ પણ સ્વાભાવિક છે કે આજની તારીખે તેને ખરીદવા માટે પડાપડી જ પરંતુ રિતસરનુ યુદ્ધ જામી પડે. જાેકે તેને અન્ય ૈંઁન્ ફ્રેન્ચાઇઝીઓ દ્વારા ઓક્શનમાં સામેલ થવા માટેના વિચારના બીજ રોપવાનો પ્રયાસ કરી ચુકી છે. આ વાતનો ખુલાસો પણ કોહલીએ જાતે જ કર્યો છે. તેણે કહ્યું કે આવું એક વાર નહીં પરંતુ ઘણી વખત બન્યું છે, જ્યારે અન્ય ૈંઁન્ ફ્રેન્ચાઈઝીઓએ તેને હરાજીમાં હાજર રહેવા માટે વિનંતી કરી હતી, પરંતુ તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે રહેવાનો ર્નિણય કર્યો હતો. કોહલીનુ કહેવુ છે કે, પોતાને આરસીબી છોડવવાનો પ્રયાસ એક વાર જ નહી પણ અનેકવાર થયો છે. અન્ય આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓએ તેને અનેકવાર ઓક્શનમાં સામેલ થવા માટે વિનંતી કરી હતી. પરંતુ તેનો પોતાના ર્નિણય આરસીબી સાથે રહેવા માટેનો અડગ છે. તે બેંગ્લોરની ટીમને છોડીને ક્યાંય જશે નહીં. ૈંઁન્ ૨૦૨૧માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સફર અટકી ગયા બાદ ટીમની કેપ્ટન્સીમાંથી રાજીનામું આપનાર વિરાટ કોહલીએ કહ્યું કે અન્ય ૈંઁન્ ટીમો દ્વારા મને ઘણી વખત સંપર્ક કરવામાં આવ્યો હતો અને હરાજીમાં આવવા માટે કહેવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે મારે તેના વિશે વિચારવું જાેઈએ. ૮ વર્ષ સુધી ઇઝ્રમ્ની કેપ્ટનશિપ કરનાર કોહલીએ પોતાના પોડકાસ્ટમાં આ ખુલાસો કર્યો હતો.

Virat-Kohli.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *