મુંબઈ
ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અબે કુરુવિલાના બહાર થયા બાદ બીસીસીઆઈહવે તેના સ્થાને નવા સિલેક્ટરની શોધમાં છે. કુરુવિલાને હટાવવાનું કારણ ભારતીય ક્રિકેટ બોર્ડનો નવો નિયમ છે, જે મુજબ કોઈ પણ વ્યક્તિને ૫ વર્ષથી વધુ ક્રિકેટની પસંદગી સમિતિમાં સામેલ કરી શકાશે નહીં. મુંબઈના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર કુરુવિલાને ડિસેમ્બર ૨૦૨૦માં વેસ્ટ ઝોનમાંથી ટીમ ઈન્ડિયાના પસંદગીકાર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તે પહેલા તેઓ જુનિયર પસંદગી સમિતિના મુખ્ય પસંદગીકાર હતા, જે પદ તેમણે ૪ વર્ષ સુધી સંભાળ્યું હતું. કુરુવિલાના કાર્યકાળ દરમિયાન જ ભારતે ઉન્મુક્ત ચંદની કપ્તાની હેઠળ ૨૦૧૨માં અંડર-૧૯ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ રીતે ભારત માટે ૧૦ ટેસ્ટ અને ૨૫ વનડે રમનાર કુરુવિલાએ પસંદગી સમિતિમાં પોતાના ૫ વર્ષ પૂરા કર્યા. ધ ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, બીસીસીઆઈના અધિકારીઓને બોર્ડના આ નવા નિયમની જાણ નહોતી. મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ સભ્ય સંજીવ ગુપ્તાએ જાન્યુઆરીમાં આ અંગે ફરિયાદ કરી ત્યારે તેને આ અંગેની જાણ પણ થઈ. કુરુવિલાએ રાજીનામું આપ્યા પછી, ભારતીય પસંદગી સમિતિ પાસે હાલમાં ફક્ત ૪ સભ્યો છે – ચેતન શર્મા, સુનીલ જાેશી, હરવિંદર સિંહ અને દેવાશીષ મોહંતી. બીસીસીઆઈ હવે કુરુવિલાની જગ્યા ભરવા માટે નવી અરજીઓ મગાવશે. બોર્ડના અધિકારીઓએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, “કુરુવિલાનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. હવે બીસીસીઆઈ નવી અરજીઓ મંગાવશે અને ક્રિકેટ સલાહકાર સમિતિ નવા ઉમેદવારનો ઇન્ટરવ્યુ લેશે. પસંદગી સમિતિ છોડ્યા પછી, બીસીસીઆઈ હવે ૫૩ વર્ષીય અબે કુરુવિલાને જનરલ મેનેજર (ગેમ ડેવલપમેન્ટ)નું નવું પદ સોંપી શકે છે. ગયા મહિને ધીરજ મલ્હોત્રાના રાજીનામા બાદ આ પદ ખાલી હતું.ટીમ ઈન્ડિયાના એક પસંદગીકારે પોતાનું પદ છોડી દીધું છે. તે ચેતન શર્માની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિનો ભાગ હતો. પસંદગી સમિતિમાં દરેક ઝોનમાંથી એક પસંદગીકાર હોય છે. વેસ્ટ ઝોન સિલેક્ટર અબે કુરુવિલા પંચોના એ જ જૂથમાંથી એક કે જેમણે ભારતની પુરૂષોની સિનિયર ક્રિકેટ ટીમની પસંદગી કરી હતી, તેણે તેમનું પદ છોડી દીધું છે.
