International

જર્મનીમાં મસ્જિદમાં તોડફોડ કર્યું અને નાઝી ચિન્હ પણ બનાવ્યું

જર્મની
જર્મનીમાં એક મસ્જિદમાં તોડફોડ કરવામાં આવી હતી. અજાણ્યા હુમલાખોરોએ મસ્જિદના એક દરવાજા પર સ્વસ્તિકનું ચિત્ર બનાવી દીધું હતું. આ મસ્જિદ જર્મનીના ડોર્ટમંડ શહેરમાં આવેલી છે. જણાવવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી મસ્જિદો પર આવા હુમલા વધી ગયા છે. તુર્કી-ઈસ્લામિક યુનિયન ફોર રિલિજિયસ અફેર્સના તુર્ગુત ઉલકરે કહ્યું કે ગયા મહિને ડોર્ટમંડમાં મસ્જિદો પર આવા જ હુમલા કરવામાં આવ્યા હતા. તાજેતરમાં આ હુમલાઓમાં વધારો થયો છે જે ચિંતાનો એક વિષય છે. તુર્ગુત ઉલકરે કહ્યું કે ‘અમે માંગણી કરીએ છીએ કે અધિકારીઓ તાત્કાલિક પગલાં લે અને અમારી મસ્જિદોની સુરક્ષા કરે. તમામ લોકશાહી સંસ્થાઓ સાથે મળીને, અમે ડોર્ટમંડમાં જાતિવાદ સામેની અમારી લડાઈ ચાલુ રાખીશું. ડોર્ટમંડ સહિષ્ણુતાનું શહેર રહે તેની ખાતરી કરવા માટે અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરવાનું ચાલુ રાખીશું.’ મસ્જિદનું નિરીક્ષણ કરવા પહોંચેલી જર્મન પોલીસે સ્વસ્તિકને સ્પ્રે પેઇન્ટથી ઢાંકી દીધું હતું. જર્મનીમાં, સ્વસ્તિકને નાઝીઓનું પ્રતીક માનવામાં આવે છે.

Mosque-in-Germany-Vandalized-Attackers.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *