- અમરેલીમાં કોવિડ-૧૯ના આજે ૫ શંકાસ્પદ કેસ સહીત ૨૧૪ કેસ નોંધાયા : આજ સુધી કુલ ૨ રિપોર્ટ પોઝિટિવ, ૨૦૭ નેગેટિવ, ૫ રિપોર્ટ પેન્ડિંગ
૨૯ હજારથી વધુ ઘરના હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૧.૪ લાખથી વધુ વ્યક્તિઓની આરોગ્ય તપાસ કરાઈ
અમરેલી, તા ૨૦ મે
અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અંકુશમાં રાખવા જિલ્લા વહિવટીતંત્ર સહિત જિલ્લાના આરોગ્ય તંત્ર ખેડપગે સેવા આપી રહ્યું છે. હાલ વિશ્વના અનેક દેશો સાથે ભારતના ઘણા રાજ્યો પણ કોરોનાથી પ્રભાવિત થયા છે, અમરેલી જિલ્લામાં કોરોનાના ૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે કોવિડ-૧૯ના શંકાસ્પદ ૫ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા. આમ જિલ્લામાં આજદિન સુધીમાં કુલ ૨૧૪ શંકાસ્પદ કેસ નોંધાયા છે જે પૈકી ૨૦૭ શંકાસ્પદ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ૨ પોઝિટિવ તેમજ ૫ રિપોર્ટ પેન્ડિંગ છે.
જિલ્લામાં આજરોજ ચેકપોસ્ટ પર ૩૪૮ વાહનોનું ચેકીંગ કરાયું, જ્યારે ૨૩૬૫ મુસાફરો જિલ્લા/રાજ્ય બહારના હતા. સરકારી ક્વોરેન્ટઇન ફેસેલીટીમાં આજ દિન સુધી કુલ ૧૧૬ પ્રવાસીઓ અને હાલ ૩૭ લોકો દાખલ થયા છે. સરકારી પરવાનગી વગર જિલ્લામાં પ્રવેશેલા વ્યક્તિઓ ૪૯૪૭ પૈકી ૪૮૧૮ વ્યક્તિઓ સરકારી કોરેન્ટાઇન ફેસિલિટીમાંથી રજા મળી ગઈ છે. તેમજ હાલ ૧૨૯ વ્યક્તિઓને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીના બીજા રાઉન્ડ અન્વયે આશરે ૨૯ હજારથી વધુ ઘરના કુલ ૧.૪ લાખથી વધુ વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાંથી ૩ વ્યક્તિઓને તાવ-શરદી-શ્વાસની તકલીફ જોવા મળી છે. હોમ કોરેન્ટાઈન્ડનો ભંગ કરવા બદલ આજ રોજ ૭ વ્યક્તિ સામે એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે, આજ સુધીમાં કુલ ૨૮ લોકો સામે એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે.
લોકોમાં કોરોના વિશે જાગૃતિ ફેલાય તે હેતુસર જાહેર સ્થળોમાં કોરોનાની જાગૃતિના ૭૩૧ બેનરો લગાવવવામાં આવ્યા છે અને ૧૪૯૯ ગામોમાં જનજાગૃતિ માઈક પ્રચાર કરવામાં આવ્યો છે. ૫૭૮ જગ્યાઓમાં કોરોનાની જનજાગૃતિના જાહેર નોટીસ બોર્ડ લગાવવામાં આવ્યા છે. તેમજ કુલ ૭૫૦૦૦ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત ૨૨ ન્યૂઝ ચેનલમાં પણ કોરોના રોગ અટકાયતી સ્ક્રોલિંગ જાહેરાત શરૂ રાખવામાં આવી છે. ઉપરાંત ૧૬૦૮ જેટલી સરકારી તેમજ ખાનગી કચેરીમાં સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવી છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
