નવીદિલ્હી
યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, રશિયાની સેના યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ચારે બાજુથી ફાયરિંગ કરી રહી છે, આગ પહેલાથી જ ભડકી ગઈ છે, જાે તે વિસ્ફોટ થશે તો તે ચેર્નોબિલ હોનારતકરતા ૧૦ ગણી વધુ ખતરનાક હશે. યુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટના પ્રવક્તાએ કહ્યું કે રશિયાએ દક્ષિણ યુક્રેનિયન શહેર એનર્હોદરમાં પાવર સ્ટેશન પર હુમલો કર્યા બાદ આગ ફાટી નીકળી હતી. ઝાપોરિઝયા ન્યુક્લિયર પ્લાન્ટની સાઇટ નજીક રેડિયેશન શોધી કાઢવામાં આવી રહ્યું છે, જે દેશના વીજ ઉત્પાદનમાં લગભગ ૨૫ ટકા હિસ્સો ધરાવે છે. મેયર દિમિત્રી ઓર્લોવ અને યુક્રેનિયન સ્ટેટ એટોમિક એનર્જી કંપનીએ અહેવાલ આપ્યો કે રશિયન લશ્કરી સ્તંભ પરમાણુ પ્લાન્ટ તરફ આગળ વધી રહ્યો છે. મોડેથી, મોટા અવાજાે અને રોકેટ સંભળાયા હતા. ૩૬ વર્ષ પહેલા ૨૬ એપ્રિલ ૧૯૮૬ના રોજ તત્કાલિન સોવિયત સંઘમાં ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો વિનાશક હતો કે થોડા કલાકોમાં અહીં કામ કરતા ૩૨ કામદારો માર્યા ગયા હતા જ્યારે સેંકડો કામદારો ન્યુક્લિયર રેડિયેશનથી ખરાબ રીતે દાઝી ગયા હતા. સોવિયત સંઘે આ અકસ્માતને દુનિયાથી છુપાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ સ્વીડનની સરકારના અહેવાલ બાદ તત્કાલીન સોવિયત સંઘે આ અકસ્માત સ્વીકારી લીધો હતો. સોવિયત સંઘના વિભાજન પછી ચેર્નોબિલ યુક્રેનમાં આવ્યું. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે રશિયન સેનાએ ચેર્નોબિલ પર કબજાે કરી લીધો છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે યુદ્ધ દરમિયાન થયેલા ફાયરિંગમાં પરમાણુ કચરાના સંગ્રહની સુવિધાને નુકસાન થયું છે. ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટમાં ખામીને કારણે આ અકસ્માત થયો હતો. આ ભયાનક અકસ્માતમાં પ્લાન્ટની છત ઉડી ગઈ હતી અને કિરણોત્સર્ગ દૂર દૂર સુધી ફેલાઈ ગયો હતો. વાસ્તવમાં ૨૬ એપ્રિલ ૧૯૮૬ના રોજ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં તપાસ થવાની હતી. આ તપાસ દરમિયાન પ્લાન્ટમાં જાેરદાર વિસ્ફોટ થયો હતો. વીજ પુરવઠો બંધ થયા પછી રિએક્ટરના સાધનો કામ કરે છે કે કેમ તે જાણવા માટે વૈજ્ઞાનિકો ઇલેક્ટ્રિકલ સિસ્ટમનું પરીક્ષણ કરવા માંગતા હતા. આ પરીક્ષણ માટે, એક નિયંત્રણ સિસ્ટમ બંધ કરવામાં આવી હતી, જેના કારણે રિએક્ટર ભયજનક સ્તરે અસંતુલિત થઈ ગયું હતું. આ દરમિયાન પ્લાન્ટમાં ભયંકર વિસ્ફોટ થયો હતો. જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે આ વિસ્ફોટ વધુ વરાળ અને વધુ હાઈડ્રોજનને કારણે થયો હતો. જેના કારણે રેડિયોએક્ટિવ મટીરિયલ ફેલાઈ ગયું અને લોકો બીમાર પડવા લાગ્યા.


