Delhi

ઈન્દિરા ગાંધી જાે ચુંટણી હારી શકે તો ભાજપ શું ચીજ ઃ અશોક ગેહલોત

નવીદિલ્હી
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરી એકવાર મ્ત્નઁના રાજસ્થાન સાંસદો પર પ્રહારો કર્યા છે અને આરોપ લગાવ્યો છે કે તેઓ રાજ્યની સમસ્યાઓ કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવતા નથી. આ સાથે જ મુખ્યમંત્રીએ ૪ રાજ્યોની તાજેતરની ચૂંટણીમાં ભાજપની જીત પર પણ ટોણો માર્યો છે. ગેહલોતે કહ્યું કે ભાજપના નેતાઓએ જીતનો ભ્રમ ન રાખવો જાેઈએ કે તેઓ ચાર રાજ્યોમાં ચૂંટણી જીત્યા પછી પણ આ જ રીતે ચૂંટણી જીતતા રહેશે. તેમણે કહ્યું કે, ભાજપએ આ ભ્રમમાં ન રહેવું જાેઈએ, લોકશાહીમાં લોકો ક્યારે પોતાનો વિચાર બદલી નાખે છે તે કોઈને ખબર નથી. મેં મારા પોતાના અનુભવથી જાેયું છે. ગેહલોતે કહ્યું કે જ્યારે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી, કે જેમણે ૧૯૭૪માં પરમાણુ વિસ્ફોટ કર્યો હતો, ૧૯૭૧માં બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું હતું, તેઓ ચૂંટણી હારી શકે છે, તો પછી ભાજપ તો શું છે ? ગેહલોતે કહ્યું કે થોડા સમય પછી લોકોને ખ્યાલ આવશે કે ભાજપ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમનું ધ્યાન હટાવવાનું કામ કરી રહ્યું છે. ગેહલોતે કહ્યું કે ભાજપના લોકો શાસન નથી કરી રહ્યા, તેઓ માત્ર મત મેળવવા માટે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદની વાતો કરી રહ્યા છે. ગેહલોતે પૂછ્યું કે શું આપણે રાષ્ટ્રવાદી નથી, શું આપણા દેશવાસીઓ રાષ્ટ્રવાદી નથી ? ગેહલોતે વધુમાં દાવો કર્યો હતો કે રાજસ્થાનમાં લોકો ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપની પસંદગી માટે પહેલાથી જ પસ્તાવો કરી રહ્યા છે અને દેશના યુવાનોમાં બેરોજગારીને લઈને ગુસ્સો છે. તેમણે કહ્યું કે, જનતાએ રાજ્યમાંથી ૨૫ સાંસદોને લોકસભામાં મોકલ્યા, પરંતુ તેમાંથી કોઈ પણ રાજસ્થાનનો મુદ્દો ઉઠાવતો નથી, પછી તે વીજળીનો હોય કે કોલસાનો. તેમણે કહ્યું કે લોકોને તેમની પસંદગી પર પસ્તાવો છે અને તેઓ આગામી ચૂંટણીઓમાં તેમને પાઠ ભણાવતા રહેશે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાંથી લોકસભાના ૨૫ સાંસદો છે, જેમાંથી ૨૪ ભાજપના છે અને એક રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીનો છે, જે ભાજપની સહયોગી છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોના પ્રશ્ન પર ગેહલોતે કહ્યું કે લોકો આ બાબતોને સમજે છે કે કોની વાત અને કામમાં તફાવત છે. જ્યારે સમય આવશે ત્યારે જનતા તેમને આંચકો આપશે. મુખ્ય પ્રધાને પૂર્વ રાજસ્થાન કેનાલ પ્રોજેક્ટ વિશે પણ વાત કરી, જે ૧૩ જિલ્લાઓને આવરી લેતી પીવાના પાણીની યોજના છે, ગેહલોતે જણાવ્યું હતું કે તેમણે ભાજપના વિપક્ષી નેતાઓને કેન્દ્ર સરકાર પર દબાણ કરવા વિનંતી કરી હતી અને તેને રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ કેન્દ્રમાં આ પ્રશ્ન ઉઠાવતા નથી.

Rajasthan-Chief-Minister-Ashok-Gehlot-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *