Gujarat

   ડીસા જલારામ મંદિરે નવમા ગુરૂવારની પદયાત્રા તેમજ મહાઆરતીમાં ઉમટયા અસંખ્ય જલારામ ભકતો.

ગિરગઢડા
ભરત ગંગદેવ.
   ઉતર ગુજરાતના અતિ પ્રખ્યાત સેવાધામ જલારામ મંદિર ડીસા ખાતે 3-2-2022 થી દર ગુરૂવારે સ્વનિવાસથી પદયાત્રા તેમજ મહાઆરતીનો શુભારંભ કરાયો છે.દર ગુરૂવારે ખૂબ જ મોટી સંખ્યામાં જલારામ ભકતો પોતપોતાના નિવાસસ્થાનથી ચાલતા જલારામ મંદિર ડીસા ખાતે આવી ખૂબ જ શ્રધ્ધાપૂર્વક મહાઆરતીમાં ભાગ લઈ ખીચડીનો પ્રસાદ આરોગે છે.પૂજ્ય જલારામ બાપા ઉપરની અતૂટ શ્રધ્ધા અને વિશ્ર્વાસને લીધે અનેક ભકતોને સુખ, શાંતિ અને પ્રગતિનો પણ અહેસાસ થયો છે.
    તારીખ 31-3-2022 નવમા ગુરૂવારે  અસંખ્ય જલારામ ભકતો સ્વનિવાસથી પદયાત્રા કરીને જલારામ મંદિરે આવ્યા હતા અને મહાઆરતીમાં જોડાઈને ભકિત અને આનંદની લાગણી અનુભવી હતી.
    જલારામ મંદિર ડીસા ખાતે વ્યવસ્થા તેમજ આયોજનમાં સર્વ શારદાબેન આચાર્ય, આર.ડી.ઠકકર, કમલેશભાઈ રાચ્છ, મહેશભાઈ ઉડેચા,અમરતમામા,શશીકાંતભાઈ ડી.ઠકકર,દીલીપભાઈ રતાણી ભગવાનભાઈ બંધુ સહિતના જલારામ સેવકો જોડાયા હતા.
   ડીસા નગરનો સમગ્ર સનાતન હિંદુ સમાજ દર ગુરૂવારે મોટી સંખ્યામાં દર્શનાર્થે જલારામ મંદિરે પધારતો હોઈ અદભૂત આધ્યાત્મિક તેમજ સેવાકીય વાતાવરણનો નજારો જોવા મળે છે.

IMG-20220401-WA0446.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *