Gujarat

એકતાનગર ગોરા ઘાટ ખાતે  “માં નર્મદા મૈયાના” દર્શન કરી મહાઆરતીમાં વિવિધ રાજ્યોના ન્યાયાધીશો સહભાગી બન્યા

એકતા નગર  ખાતે  બે દિવસીય જજીસ કોન્ફરન્સનો ગઈ કાલે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે પ્રારંભ કરાવ્યો હતો.આ કોન્ફરન્સમાં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી આર.વી.રમણા, સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ સહિત દેશના વિવિધ રાજ્યોના ચીફ જસ્ટિસ અને રજિસ્ટ્રારોએ ભાગ લીધો હતો.
      પ્રથમ દિવસે જજીસ કોન્ફરન્સમાં ભાગ લઈ રહેલા તમામ પ્રતિનિધિઓએ સાંજે સ્ટેચ્યુ ઓફ  યુનિટીના સાનિધ્યમાં પ્રોજેક્શન મેપિંગ શો નિહાળવા સાથે ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે  આવેલા શુલપાણેશ્વર મંદિર ખાતે મહાઆરતીમાં સહભાગી બન્યા હતા. નર્મદા નદીમાં મ્યુઝિકલ ફુવારા સાથે એકવા લાઈટ શો નિહાળવાની સાથે શૂલપાણેશ્વર મંદિરથી નર્મદા ઘાટ સુધી જઇ શકાય તે માટે રોશનીથી ઝળહળ થતા સુંદર પ્રકારના કોરીડોરની વ્યવસ્થા ઉપરાંત આકર્ષક લાઈટીંગ પણ નિહાળ્યું હતું.
      આ પ્રસંગે જસ્ટિસ શ્રી એમ.આર.શાહ,ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી અરવિંદ કુમાર,ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી રાજીવ ગુપ્તા,SOU ના સી. ઈ. ઓ શ્રી રવિશંકર,જિલ્લા કલેકટર શ્રી ડી. એ.શાહ ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220410-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *