Gujarat

રાજકોટ શહેર કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સોનીબજારમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર વેપારીઓમાં બે ભાગ પડી ગયા છે

*રાજકોટ શહેર કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સોનીબજારમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર વેપારીઓમાં બે ભાગ પડી ગયા છે.*

*રાજકોટ શહેર તા.૨૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સોનીબજારમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવા મુદ્દે વેપારીઓમાં બે ભાગ પડી ગયા છે. ગોલ્ડ ડીલર્સ એસો.ના પ્રમુખ ભાયાભાઇના જણાવ્યાનુસાર તેમના આ નિર્ણયમાં સોનીબજાર, યુનિવર્સિટી રોડ, મવડી રોડ પર દુકાન ધરાવતા વેપારીઓ સહિત કુલ.૨૦૦ થી વધુ સભ્યો આ નિર્ણયમાં જોડાશે તેવો દાવો કર્યો છે. જ્યારે જેમ્સ એન્ડ જ્વેલરી એસો.ના પ્રમુખ દિવ્યેશભાઇ પાટડિયા જણાવ્યું હતું કે, આ અગાઉ જે સ્વૈચ્છિક લોકડાઉનનો જે નિર્ણય હતો તે મુજબ ૯-૭ થી ૧૯-૭ સુધી સવારે ૧૦:૦૦ થી સાંજના ૪:૦૦ સુધી દુકાનો ખૂલી રાખવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. ત્યારે આ સ્વૈચ્છિક લોકડાઉનને લંબાવવાનો નિર્ણય કર્યો છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200727-WA0065-1.jpg IMG-20200727-WA0066-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *