મુંબઈ
ભારતીના શોમાં એક્ટ્રેસ જાસ્મીન ભસીન ગેસ્ટ તરીકે આવી હતી. આ શોમાં ભારતીએ કહ્યું હતું કે, દાઢી-મૂંછ કેમ ન જાેઈએ? તેણે કહ્યું હતું કે, દૂધ પીધા બાદ દાઢી મોઢામાં નાંખો તો સેવૈયાનો ટેસ્ટ આવે છે. મારી ઘણી બધી ફ્રેન્ડ્સ જેમના હમણાં લગ્ન થયા છે, તેઓ આખો દિવસ દાઢી-મૂંછમાંથી જૂ કાઢવામાં વ્યસ્ત છે. જે બાદ ભારતીએ તેના સોશ્યલ મીડિયા પેજ પર એક વિડીયો શેર કરીને માફી માંગી હતી. તેણે કહ્યું હતું કે, ‘મારો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જાેઈને લોકો મને સેન્ડ કરે છે અને પૂછે છે કે તમે દાઢી-મૂંછની મજાક ઉડાવી છે? હું એ વિડીયો ૨ દિવસથી વારંવાર જાેઈ રહી છું અને તમને પણ કહું છું કે તમે પણ એ વિડીયો જુઓ.’ તેણે વધુમાં કહ્યું કે, “મેં ક્યારેય કોઈ ધર્મ કે જાતિ વિષે કંઈ જ નથી કહ્યું, જે આ ધર્મના લોકો દાઢી રાખે છે અને આ પ્રોબ્લેમ થાય છે. પંજાબીઓ માટે નથી કહ્યું કે તેઓ દાઢી રાખે છે અને પ્રોબ્લેમ થાય છે. હું જનરલી વાત કરતી હતી, કોમેડી કરી રહી હતી મારી મિત્ર સાથે. દાઢી-મૂંછ તો આજકાલ દરેક રાખે છે, પરંતુ જાે મારી આ વાતથી જાે કોઈ ધર્મના લોકોને દુઃખ પહોંચ્યું છે, તો હું હાથ જાેડીને માફી માંગુ છું. હું ખુદ પંજાબી છું અને અમૃતસરમાં જન્મી છું. હું પંજાબનું માન રાખીશ અને મને ગર્વ છે કે હું પંજાબી છું.”કોમેડિયન ભારતી સિંહ પોતાના એક જૂના વિડીયોને લઈને કાનૂની દાવપેચમાં ફસાઈ ગઈ છે. ભારતી સિંહે દાઢી-મૂછ પર મજાક કરતા શીખ સમુદાય તેનાથી નારાજ થઇ ગયો છે. જેને લઈને અમૃતસરમાં તેના વિરોધમાં પ્રદર્શન થયા હતા અને સાથે જ તેના પર એક્શન લેવાની પણ વાતો થઇ રહી હતી. વિવાદ વણસી જતા ભારતીએ હાથ જાેડીને શીખ સમુદાયની માફી માંગી હતી. પરંતુ શીખ સમુદાય તેને માફી આપવાના મૂડમાં બિલકુલ નથી. જે બાદ જીય્ઁઝ્રએ ભારતી સિંહના વિરુદ્ધ ૈંઁઝ્રના સેક્શન ૨૯૫-છ અંતર્ગત પોલીસમાં હ્લૈંઇ દાખલ કરાવી છે.