રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
મહુધા વિધાનસભા નાં ચકલાસી ગામથી મહુધા શહેર સુધી મોટી સંખ્યામાં કાર અને બાઈક જેવાં વાહનો પરિવર્તન યાત્રામાં જોડાયા હતા જેમાં સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી ચકલાસી શહેર વિસ્તાર તથા બપોરે ૧૨ થી ૩ પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા અને અન્ય પ્રદેશ નેતા સાથે કાર્યકર્તાઓ ની મુલાકાત તેમજ સાંજના ૪ થી ૫ મહુધા રોડ શો અને જન સંવાદ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં પરિવર્તન યાત્રામાં ઉપસ્થિત મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ ભાઈ સોરઠીયા , ખેડા જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ સુખદેવ સિંહ જાડેજા , નડિયાદ વિધાનસભા પ્રભારી ભરતભાઈ પટેલ , યુવા પ્રમુખ નિકુંજ શર્મા , કાર્યકારી પ્રમુખ કમલેશ ભાઈ વાધેલા , આમ આદમી પાર્ટી ખેડા જિલ્લા નાં હોદ્દેદારો , આમ આદમી પાર્ટી મહુધા શહેર પ્રમુખ ઐયુબખાન પઠાણ , ઉપ પ્રમુખ રણજીત ભાઈ , લિગલ સેલ પ્રમુખ યાસીન ખાન તેમજ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં


