Delhi

અગ્નિવીરોની ભરતી અંગે જુલાઈમાં શરૂ થશે રજિસ્ટ્રેશન

ન્યુદિલ્હી
અગ્નિપથને લઈને વિરોધ પ્રદર્શન અને ભારત બંધના એલાન વચ્ચે દિલ્હીમાં સ્થિતિ સામાન્ય છે. દિલ્હી પોલીસના પીઆરઓ સુમન નવલાએ કહ્યું – તમામ રસ્તાઓ, દુકાનો, સંસ્થાઓ અને બજારો ખુલ્લા છે અને સ્થિતિ સામાન્ય છે. તેમણે કહ્યું કે અમે ખલેલ સહન કરી શકતા નથી. જે લોકો જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે તેનો સામનો કરવા પોલીસ તૈયાર છે. તેમણે વધુમાં કહ્યું કે અમને છે કે અહીં કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી નહીં થાય. દિલ્હી પોલીસના પીઆરઓએ વધુમાં કહ્યું કે અમને એવી બાતમી મળી હતી કે અન્ય રાજ્યોના કેટલાક જૂથો દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવાની યોજના બનાવી રહ્યા છે. તે બાતમીના આધારે અમે સરહદો પર ઝીણવટભરી સુરક્ષા વ્યવસ્થા કરી છે.સેનામાં નવી ભરતીને લઈને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ યોજનાના વિરોધમાં, જ્યારે એક તરફ દેશના ઘણા ભાગોમાં સતત પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ નવી ભરતીને લઈને સોમવારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ માટે રજીસ્ટ્રેશન જુલાઈમાં શરૂ થશે. આર્મીમાં પાંચ અલગ-અલગ કેટેગરીના અગ્નિવીરોની ભરતી થશે. આ પ્રમાણે કેટેગરી પાડવામાં આવી છે. અહીં બીજી તરફ અગ્નિપથ યોજનાને લઈને ભારત બંધની વ્યાપક અસર જાેવા મળી રહી છે. નવી દિલ્હી નજીક શિવાજી બ્રિજ પર એક ટ્રેન રોકાઈ હતી. જાેકે, પોલીસે ઘણા લોકોને કસ્ટડીમાં લીધા હતા અને ટ્રેનનો રસ્તો સાફ કરાવ્યો હતો. અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે ૧૮૧ મેલ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. આ સાથે ૩૪૮ પેસેન્જર ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. રેલ્વે મંત્રાલયે કહ્યું કે આ સિવાય ૪ મેલ એક્સપ્રેસ અને ૬ પેસેન્જર ટ્રેનો કેન્સલ અથવા અસ્થાયી રૂપે રદ કરવામાં આવી છે. કોઈ ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી ન હતી.

New-recruits-in-the-army.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *