Maharashtra

અભિનેત્રી કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રાના વખાણ કર્યા

મુંબઈ
બોલિવૂડમાં કિયારા અને સિદ્ધાર્થની નવી જાેડીને લઈને ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આ બંને એક્ટર્સે ફિલ્મ ‘શેરશાહ’ માં સાથે કામ કર્યું હતું અને તેમની જાેડી ખૂબ જ વખણાઈ હતી અને ફિલ્મ પણ બોક્સઓફિસ પર હિટ નીવડી હતી. આ ફિલ્મ બાદ જ, કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રા એકબીજાની નજીક આવ્યા હતા અને તેઓ રિલેશનશીપમાં છે તેવા રિપોર્ટ્‌સ સામે આવ્યા હતા. આ બંને એક્ટર્સ અનેકવાર વિવિધ સ્થળે અને ઈવેન્ટ્‌સ માં સાથે જાેવા મળી ચૂક્યા છે અને રિસન્ટલી કિયારાએ મીડિયા સમક્ષ સિદ્ધાર્થના વખાણ પણ કર્યા છે. કિયારાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, ફિલ્મ ‘કબીરસિંઘ’ બાદ મારી કારકિર્દી નવી ઊંચાઈ પર પહોંચી છે અને મારા તરફ લોકોનો જાેવાનો નજરિયો બદલાઈ ગયો છે. હજુ પણ અનેક લોકો મને તેના કેરેક્ટરના નામ ‘પ્રીતિ’ થી સંબોધી રહ્યા છે જે સાંભળીને મને ખૂબ જ ગમે છે. મારા કો-આર્ટિસ્ટની વાત કરું તો, મને સિદ્ધાર્થ સાથે કામ કરવાનું ગમે છે. તે મારો ફેવરેટ કો-એક્ટર છે અને તે ખૂબ જ હેન્ડસમ છે. અફેરની વાતો વચ્ચે કિયારાના આ સ્ટેટમેન્ટના કારણે અનેક નવી ચર્ચાઓ શરુ થઈ છે કે, આ હિટ જાેડી ટૂંક સમયમાં જ લગ્ન કરશે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રિસન્ટલી કિયારાની રિલીઝ થયેલી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૨’ સુપર હિટ નીવડી છે અને આગામી શુક્રવારે વરુણ ધવન સાથે તેની બિગ બજેટ ફિલ્મ ‘જુગ જુગ જીયો’ રિલીઝ થઈ રહી છે. આ સાથે જ કિયારા રામચરણ સાથે તેલુગુ ફિલ્મ ‘ આરસી ૧૫’ના શૂટિંગની તૈયારી કરી રહી છે. જેને ફેમસ ડિરેક્ટર એસ. શંકર ડિરેક્ટ કરી રહ્યા છે.

Entertainment-Kiara-Advani-Sidharth-Malhotra.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *