યુએઈ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મનીમાં ય્૭ શિખર સંમેલનમાં, વૈશ્વિક પડકારોના કાયમી સમાધાનો પર બે દિવસ સુધી ચાલેલી ઉપયોગી વાર્તાઓમાં ભાગ લીધા બાદ મંગળવારે સંયુક્ત અરબ અમીરાત પહોંચ્યા. પ્રધાનમંત્રી મોદી ખાડી દેશમાં ેંછઈ ના પૂર્વ રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના નિધન પર વ્યક્તિગત રૂપથી શોક વ્યક્ત કરશે. તમને જણાવી દઇએ કે નાહયાનની લાંબી બિમારી બાદ ૧૩ મેના રોજ નિધન થઇ ગયું હતું. તે ૭૩ વર્ષના હતા. નાહયાન ૨૦૦૪થી બિરાજમાન હતા. પીએમ મોદી જ્યારે ેંછઈ પહોંચ્યા તો તેમનું ગર્મજાેશી સાથે સ્વાગત થયું. અહીં પીએમ મોદીનું અગવાની ેંછઈ ના રાષ્ટ્રપતિ શેખ મોહમંદ બિન જાયદ અલ નાહયને કરી. એરપોર્ટ પર પહોંચતાં જ તે પીમ મોદીને એવી રીતે ગળે મળ્યા જેમ કે ઘણા જૂના મિત્રો હોય. પીએમ મોદીનું વૈશ્વિક કદ એટલું મોટું છે કે દુનિયાભરના તમામ નેતા તેમના દીવાના બની જાય છે. આ પહેલાં પીએમ મોદી ૨ દિવસીય જર્મનીની યાત્રા કરીને આવી રહ્યા છે. આ દરમિયાન તેમણે વૈશ્વિક પડકરોના સ્થાયી સમાધનો પર ઉપયોગી ચર્ચા કરી. પ્રધાનમંત્રી મોદી થોડા સમય માટે જ અબૂધાબી પહોંચ્યા છે, જ્યાં તે થોડીવાર રોકાયા. ત્યારબાદ દિલ્હી પહોંચશે. પીએમ મોદીએ ટ્વીટ કરી ય્૭ સંમેલન વિશે જાણકારી આપી. તેમણે લખ્યું કે એક ઉપયોગી યાત્રા બાદ જર્મનીથી રવાના થઇ રહ્યો છું. આ યાત્રા દરમિયાન હું ય્૭ શિખર સંમેલનમાં ભાગ લીધો. દુનિયાના ઘણા નેતાઓ સાથે ચર્ચા કરી અને મ્યૂનિખમાં એક યાદગાર સામુદાયિક કાર્યક્રમમાં ભાગ લેશે. અમે વૈશ્વિક કલ્યાણ અને સમૃદ્ધિને આગળ વધતાં કેન્દ્રીત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. સાથે જ પ્રધાનમંત્રીએ એ પણ લખ્યું, ‘હું જર્મનીના લોકો, જર્મનીના ચાંસલર ઓલાફ શોલ્ઝ અને જર્મન સરકારને તેમના આતિથ્ય સત્કાર માટે આભાર વ્યક્ત કરું છું. મને વિશ્વાસ છે કે આગામી સમયમાં ભારત-જર્મનીની મિત્રતા નવી ઉંચાઇઓને આંબશે.


