Gujarat

વંદે ગુજરાત વિકાસ યાત્રાને આવકારવા ગ્રામજનોમાં અનેરો થનગનાટ

રાજ્ય સરકારની પ્રજાલક્ષી ૨૦ વર્ષની સિદ્ધિઓ જન-જન સુધી પહોંચાડવાની સાથે કેન્દ્ર – રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ વિતરણ કરવાની નેમ સાથે શરૂ થયેલી વંદે ગુજરાત વિકાસ યાત્રા તા.૦૬-૦૭-૨૦૨૨ના રોજ જૂનાગઢ જિલ્લામાં કેશોદ તાલુકાના કણેરી અને બાલાગામ ખાતે આવી પહોંચશે.

   રાજ્યભરમાં તા.૫મી જુલાઈથી શરૂ થયેલી વંદે ગુજરાત વિકાસ યાત્રાને આવકારવા ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેશોદના અજાબમાં સવારે ૯-૩૦ કલાકે અને કણેરીમાં સાંજે ૪-૩૦કલાકે આ યાત્રા આવી પહોંચશે

આ યાત્રા દરમિયાન જનહિતના વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવશે. સાથે સાથે રાજ્ય સરકારના વિવિધ વિભાગની પ્રજાલક્ષી યોજનાઓનો પણ પ્રચાર પ્રસાર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *