Gujarat

ગુરુપૂજન..મનોરોગી આશ્રમ લોકેશન.. સાવરકુંડલા

..ગુરુપૂજન..મનોરોગી આશ્રમ
લોકેશન.. સાવરકુંડલા

ગુરુ ગોવિંદ દોનો ખડે કિસ કો લાગુ પાયે બલીહારી ગુરુ આપકી જીસે ગોવિંદ દિયો દેખાય આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર તહેવારે સાવરકુંડલા મનોરોગી આશ્રમ માનવ મંદિરે ધર્મ અને ભાવથી ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો જોઈએ આ રિપોર્
સાવરકુંડલા નજીક આવેલ મનોરોગી આશ્રમ માનવ મંદિરે આજે ગુરુપૂર્ણિમાનો પવિત્ર તહેવાર ઉજવાય રહ્યો છે અને દૂર દૂરથી સેવકો પોતાના ગુરુની પૂજા કરવા અને આશીર્વાદ માટે આવી રહ્યા છે ત્યારે ગુરુદેવ ભક્તિ બાપુ એ પણ તમામ સેવકોને આશીર્વાદ આપી પોતાની ફરજ નિભાવી છે
બાઈટ..01 અંજલિબેન જોશી.વડોદરા

સાવરકુંડલા મનોરોગી આશ્રમ માનવમંદિરમાં નિરાધાર રખડતી ભટકતી બહેનોને નિશુલ્કપણે સારવાર આપવામાં આવે છે અને અત્યાર સુધીમાં 104 મનોરોગી બહેનો સાજી થઈ પરિવારમાં મળી છે વિવિધ પ્રાંતની વિવિધ ભાષાની અને વિવિધ જ્ઞાતિની 52 જેટલી બહેનો અત્યારે પૂજ્ય ભક્તિ બાપુની નિશ્રામાં સારવાર લઈ રહી છે ત્યારે આજે આ તમામ મનોરોગી બહેનોએ કેસરિયા ધારણ કરી ગુરુદેવ પાલક પિતા પૂજ્ય ભક્તિ બાપુ નું પૂજન કર્યું અને આશીર્વાદ લીધા અને ભક્તિ બાપુએ પણ આ તમામ બહેનોને આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર પ્રસંગે આશીર્વાદ આપી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો ત્યારે કાલી ઘેલી ભાષામાં મનોરોગી બહેન શું કહે છે આવો તે પણ સાંભળી લઈએ
બાઈટ.02 વીણાબેન આદ્રોજા..મનોરોગી બહેન

આજે ગુરુપૂર્ણિમાનો તહેવાર તો સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે પરંતુ જે હરિના બાળકો છે મનોરોગી છે નિરાધાર છે તેનું કોઈ નથી એવો આ પવિત્ર આશ્રમ મનોરોગી આશ્રમ સાવરકુંડલા ખાતે ગુરુપૂર્ણિમા તહેવાર ઉજવાયો અને મનોરોગી બહેનોએ જલ્દી જલ્દી સાજા છે પોતાના પરિવારમાં પહોંચે તેવા આશીર્વાદ માંગ્યા અને આશીર્વાદ મળ્યા આ એક વિશેષ ગુરુપૂર્ણિમાનો ઉત્સવ મનોરોગઈ6 આશ્રમ માનવ મંદિરે ઉજવાઈ ગયો

રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220713-WA0014-1.jpg IMG-20220713-WA0012-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *