Delhi

ભારતની બે મહિલા ક્રિકેટરને કોરોના થતાં બર્મિંગહામ ના જઈ શકી

નવીદિલ્હી
કોમનવેલ્થ ગેમ્સમાં વિમેન્સ ક્રિકેટનો આ વર્ષે સમાવેશ કરાયો છે. જાે કે ભારતને તેના અભિયાનના પ્રારંભ અગાઉ જ ફટકો પડ્યો છે. ભારતની બે મહિલા ક્રિકેટરને કોરોના થતાં તેઓ રવિવારે ટીમના અન્ય સભ્યો સાથે બર્મિંગહામ નથી જઈ શક્યા અને તેમને ભારતમાં જ રહેવાની ફરજ પડી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ અગાઉ મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીને કોરોના થયો હોવાની પુષ્ટિ કરી હતી. કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે ભારતની વિમેન્સ ટીમે બેંગ્લોરમાં એનસીએમાં પ્રેક્ટિસ કરી હતી. ટીમ બર્મિંગહામ માટે રવાના થઈ રહી હતી તે અગાઉ બીજી એક ખેલાડીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ બન્ને ખેલાડીઓ ભારતમાં જ રહેશે તેમ ઓલિમ્પિક સંઘે જણાવ્યું હતું. બીસીસીઆઈના સૂત્રના મતે આ બન્ને ખેલાડીઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે ત્યારબાદ જ પ્રોટોકોલ મુજબ તેમને ટીમમાં પુનઃ લેવામાં આવશે. ભારતીય વિમેન્સ ટીમ કોમનવેલ્થ ગેમ્સમાં શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મુકબાલો રમશે. ત્યારબાદ ૩૧ જુલાઈએ ભારતની ટક્કર તેના કટ્ટર હરિફ પાકિસ્તાન સામે થશે.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *