Maharashtra

ઈડીની રેડ પડતાં સંજય રાઉતે ટિ્‌વટ કરી કહ્યું હું મરી જાવ તો પણ સમર્પણ નહીં કરું

મહારાષ્ટ્ર
ઇડી રેડ દરમિયાન શિવસેના નેતા સંજય રાઉત તરફથી ટ્‌વીટ કરી લખવામાં આવ્યું છે કે, ખોટી કાર્યવાહી…ખોટા પુરાવા, હું શિવસેના છોડીશ નહી. હું મરી જાવ તો પણ સમર્પણ નહી કરું. જય મહારાષ્ટ્ર… મહારાષ્ટ્ર અને શિવસેનાની લડાઇ ચાલુ રહેશે. એટલું જ નહી, શિવસેના નેતા તરફથી પાર્ટીનું ચિન્હ પણ ટ્‌વીટ કરવામાં આવ્યું- આ સાથે જ લખ્યું, છતાં પણ શિવસેના છોડીશ નહી… સંજય રાઉતે વધુ એક ટ્‌વીટ કરતાં એ સ્પષ્ટ કર્યું કે તે કૌભાંડમાં જાેડાયેલા નથી. તેમણે લખ્યું ‘મારું કો કૌભાંડ સાથે લેવા દેવા નથી. આ હું શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેના શપથ લઇને કહી રહ્યો છું. બાલાસાહેબે અમને લડતા શિખવાડ્યું છે. હું શિવસેના માટે લડાઇ ચાલુ રાખીશ. તેના એક દિવસ પહેલાં સંજય રાઉતે જણાવ્યું હતું કે પોતાની ધરપકડને લઇને અંદેશો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મારી ધરપકડ પણ થાય છે તો પાર્ટી તૂટશે નહી. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો ભ્રમમાં જીવી રહ્યા છે અને પાર્ટી તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પત્રા ચોલની વાત કરીએ તો વર્ષ ૨૦૦૭ માં ગુરૂ આશીષ કંસ્ટ્રક્શનને ચોલ વિકસિત કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ યોજના અંતગર્ત ૪૭ એકરની જમીન પર ચોલની જગ્યાએ ફ્લેટ બનાવી દિધા. કરાર અનુસાર ચોલના નિવાસીઓને ૬૭૨ ફ્લેટ આપવાના હતા. તેના માટે ૩,૦૦૦૦ ફ્લેટ મ્હાડાને આપવાના હતા. કરાર અનુસાર બાકી જમીન પર કંસ્ટ્રક્શન કંપની ઘર બનાવીને વેચી શકે છે. જાેકે આ મામલે આરોપ છે કે ૪૭ એકર જમીન, ૧૦૩૭ કરોડ રૂપિયામાં વેચવામાં આવી. આરોપ અનુસાર કંપનીએ ફ્લેટ બનાવ્યા નહી. આ મામલે ઇડીએ પ્રવીણ રાઉત અને તેના સાથી સુજીત પાટકર પર કેસ દાખલ કર્યો. પ્રવીણ રાઉત, ગુરૂ આશીષ, કંસ્ટ્રક્શન કંપનીના પૂર્વ ડાયરેક્ટર છે. માનવામાં આવે છે કે પ્રવીણ રાઉત, સંજય રાઉતના મિત્ર છે. આરોપ છે કે પ્રવીણની પત્નીના ખાતામાંથી સંજય રાઉતની પત્નીના ખાતામાં પૈસા ટ્રાંસફર થયા. તો બીજી તરફ સુજીત પાટકર અને સંજય રાઉતની પુત્રી એક ટ્રેડિંગ ફર્મમાં ભાગીદાર છે. આ ઉપરાંત પાટકરની પત્ની અને સંજય રાઉતની પત્ની પર જમીન ભાગીદારીનો આરોપ છે. પશ્વિમ બંગાળ બાદ ઇડી મહારાષ્ટ્રમાં એક્ટિવ થઇ છે. અહીં શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતના ઘરે ઇડીની ટીમ પહોંચી છે અને પૂછપરછ કરવામાં અવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે પત્રા ચોલ મામલે આ કાર્યવાહી થઇ રહી છે. આ દરમિયાન સંજય રાઉત તરફથી કેટલીક ટ્‌વીટ્‌સ કરવામાં આવી છે, જેમાં તેમણે પોતાના વિરૂદ્ધ થઇ રહેલી કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો છે. સંજય રાઉતે આરોપ લગાવ્યો છે કે તેમના વિરૂદ્ધ ખોટા પુરાવા રજૂ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *