Delhi

વડાપ્રધાને અન્ડરટ્રાયલ કેદીઓને ઝડપી મુક્ત કરવાની ભલામણ કરી

નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રથમ ઓલ ઈન્ડિયા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીઝ મીટના ઉદઘાટન સત્રને સંબોધન કર્યુ હતું, ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન વી રમના, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ, શ્રી એસ.પી. સિંહ બઘેલ, સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશો, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો, રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ ના કાર્યકારી અધ્યક્ષો અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળો ના અધ્યક્ષો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ ‘મફત કાનૂની સહાયતાના અધિકાર’ પર એક સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડ્યો હતો. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ આઝાદી કે અમૃત કાળનો સમય છે. આગામી ૨૫ વર્ષમાં દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવાના સંકલ્પોનો આ સમય છે. તેમણે કહ્યું કે, દેશની આ અમૃત યાત્રામાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગની જેમ જ ન્યાયની સરળતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીએ રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતોમાં કાનૂની સહાયના સ્થાન પર પ્રકાશ પાડ્યો હતો. આ મહત્વ દેશના ન્યાયતંત્રમાં નાગરિકોના વિશ્વાસમાં પ્રતિબિંબિત થાય છે. તેમણે કહ્યું હતું કે “કોઈપણ સમાજ માટે ન્યાયિક પ્રણાલી સુધી પહોંચવું જેટલું મહત્વનું છે, તેટલું જ મહત્વપૂર્ણ ન્યાય વિતરણ છે. આમાં ન્યાયિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ મહત્વનો ફાળો છે. છેલ્લા આઠ વર્ષમાં દેશના ન્યાયિક માળખાને મજબૂત કરવા માટે ઝડપી ગતિએ કામ કરવામાં આવ્યું છે.” ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને ફિનટેકમાં ભારતના નેતૃત્વને રેખાંકિત કરતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ન્યાયિક કાર્યવાહીમાં ટેક્નોલોજીની વધુ શક્તિનો પરિચય કરાવવા માટે આનાથી વધુ સારો સમય હોઈ શકે નહીં. તેમણે કહ્યું, “ઈ-કોર્ટ્‌સ મિશન હેઠળ દેશમાં વર્ચ્યુઅલ કોર્ટ શરૂ કરવામાં આવી રહી છે. ટ્રાફિક ભંગ જેવા ગુનાઓ માટે ૨૪ કલાકની અદાલતો કાર્યરત થઈ ગઈ છે. લોકોની સુવિધા માટે કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક કરોડથી વધુ કેસની સુનાવણી થઈ છે. આ સાબિત કરે છે કે “આપણી ન્યાયિક પ્રણાલી ન્યાયના પ્રાચીન ભારતીય મૂલ્યો માટે પ્રતિબદ્ધ છે અને તે જ સમયે, ૨૧મી સદીની વાસ્તવિકતાઓને મેચ કરવા માટે તૈયાર છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે “સામાન્ય નાગરિકે બંધારણમાં તેના અધિકારો અને ફરજાે વિશે જાગૃત હોવું જાેઈએ. તેઓ તેમના બંધારણ અને બંધારણીય બંધારણો, નિયમો અને ઉપાયોથી વાકેફ હોવા જાેઈએ. ટેક્નોલોજી પણ આમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. અમૃત કાળ એ ફરજનો સમયગાળો છે તેવો પુનરોચ્ચાર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણે એવા ક્ષેત્રો પર કામ કરવાનું છે જે અત્યાર સુધી ઉપેક્ષિત રહ્યા છે. શ્રી મોદીએ ફરી એકવાર અન્ડરટ્રાયલ કેદીઓ પ્રત્યે સંવેદનશીલતાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળો આવા કેદીઓને કાનૂની સહાય પૂરી પાડવાની જવાબદારી ઉપાડી શકે છે. તેમણે અંડરટ્રાયલ રિવ્યુ કમિટીના અધ્યક્ષ તરીકે જિલ્લા ન્યાયાધીશોને અન્ડરટ્રાયલ કેદીઓને ઝડપી મુક્ત કરવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ આ સંદર્ભે અભિયાન હાથ ધરવા બદલ દ્ગછન્જીછની પ્રશંસા કરી હતી. તેમણે બાર કાઉન્સિલને પણ આ અભિયાનમાં સામેલ થવા માટે વધુ વકીલોને પ્રોત્સાહિત કરવા વિનંતી કરી હતી. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી (દ્ગછન્જીછ) દ્વારા વિજ્ઞાન ભવન ખાતે ૩૦-૩૧ જુલાઈ ૨૦૨૨ દરમિયાન જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (ડ્ઢન્જીછજ)ની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની મીટનું આયોજન કરવામાં આવ્યું છે. ડીએલએસએમાં એકરૂપતા અને સુમેળ લાવવા માટે આ બેઠકમાં એક સંકલિત પ્રક્રિયાની રચના પર ચર્ચા કરવામાં આવશે. દેશમાં કુલ ૬૭૬ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી (ડ્ઢન્જીછજ) છે. તેઓનું નેતૃત્વ જિલ્લા ન્યાયાધીશ કરે છે જેઓ સત્તાના અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે. ડ્ઢન્જીછજ અને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીઝ (જીન્જીછજ) દ્વારા, દ્ગછન્જીછ દ્વારા વિવિધ કાનૂની સહાય અને જાગૃતિ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે છે. ડ્ઢન્જીછ દ્ગછન્જીછ દ્વારા આયોજિત લોક અદાલતોનું નિયમન કરીને અદાલતો પરના બોજને ઘટાડવામાં પણ ફાળો આપે છે.

Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *